SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૯ રાગાદિ રહિત એવા પોતાના મનમાં પરમાત્મા વસે છે णिय मणि णिम्मलि णाणियहँ णिवसइ देउ अणाइ। हंसा सरवरि लीणु जिम महु एहउ पडिहाइ।।१२२।। निजमनसि निर्मले ज्ञानिनां निवसति देवः अनादिः। हंसः सरोवरे लीनः यथा मम ईदृशः प्रतिभाति।।१२२ ।। જ્ઞાનીનાં નિર્મળ ઉરે, વસે અનાદિ દેવ; ભાસે માનસરે મને, લીન હંસ પરમેવ. ૧૨૨ જ્ઞાનીઓના ચગાદિ રતિ નિર્મળ મનમાં અનાદિદવ-આધવા યોગ્ય શુદ્ધાત્મા નિવાસ કરી રહ્યો છે. તે જેમ માનસરોવરમાં નિવાસ કરી રહ્યો હેય તેમ મને ભાસે છે. નિજ શુદ્ધ સહજાભદ્રવ્યની સભ્યશ્રદ્ધા અને સ્વાભાવિક જ્ઞાનથી ઉત્પન્ન વીતરાગ પરમ સુખસ્વરૂપ અમૃતરસરૂપ નિર્મળ નીરથી ભરેલા જ્ઞાનીઓના ચિત્તરૂપ માનસરોવરમાં પરમાત્મારૂપી પરમહંસ, આત્મદેવ, પરમબ્રહ્મ નિરંતર નિવાસ કરે છે તે આત્મદેવ નિર્મળ ગુણોની ઉજ્વલતાથી હંસ સમાન છે. જેમ હંસનું નિવાસસ્થાન માનસરોવર છે તેમ બ્રહ્મનું નિવાસસ્થાન નિર્મળ ચિત્ત છે. ૧રર देउ ण देउले णवि सिलए णवि लिप्पइ णवि चित्ति। अखउ णिरंजणु णाणमउ सिउ संठिउ सम-चित्ति।।१२३।। देवः न देवकुले नैव शिलायाम् नैव लेप्पे नैव चित्रे। अक्षयः निरञ्जनः ज्ञानमयः शिवः संस्थितः समचित्ते।। १२३ ।। લેપ ચિત્ર પ્રતિમા વળી દેવાલયે ન દેવ; શિવ નિરંજન જ્ઞાનમય, સ્થિત સમ મને સદૈવ. ૧૨૩ પરમ આરાધ્ય આત્મદેવ દેવાલય (દેરાસર) માં નથી, પાષાણની પ્રતિમામાં નથી, લેપની પ્રતિમામાં નથી, કે ચિત્ર એટલે કાગળની પ્રતિમામાં નથી, એમ તે આત્મદેવ બાહ્ય પદાર્થોમાં નથી. પણ તે અવિનાશી, નિરંજન, જ્ઞાનમય પરમાત્મા સમભાવમાં વિરાજી રહ્યા છે. અર્થાત્ સમભાવમાં પરિણમેલા વીતરાગ મહાત્માઓના અંતરમાં વિરાજી રહ્યા છે. જોકે વ્યવહારની અપેક્ષાએ ધર્મપ્રવૃત્તિ માટે સ્થાપનારૂપે અરહંતદેવ દેવાલયમાં છે, તેમ ધાતુ, પાષાણની પ્રતિમાને પણ દેવ કહેવામાં આવે છે, તોપણ નિશ્ચયથી શત્રુ-મિત્ર, સુખ-દુ:ખ, જીવન-મરણ જેને સમાન છે એવા વીતરાગ મહાત્માઓના ચિત્તમાં પરમાત્મા વસે છે. समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिंदसमो। समलोहकंचणो विय जीवियमरणे समो समणो।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy