SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨] [ પરમાગમસાર એમ રાગમાં એકતાબુદ્ધિથી જાણે છે-માને છે, તેથી તે મિથ્યાદષ્ટિ છે. ૩૦૨. ભાઈ તારા મહાભ્યની શી વાત! જેનું સ્મરણ થતાં જ આનંદ આવે એના અનુભવના આનંદની શી વાત! અહો! મારી તાકાત તે કેટલી? જેમાં નજરું નાખતાં નિધાન ખુલી જાય છે તે વસ્તુ કેવી ? રાગને રાખવાનો તો મારો સ્વભાવ નહિ. પણ અલ્પજ્ઞતાને પણ હું રાખી શકું નહિ.-એમ પોતાને પ્રતીતિ આવતાં હું સર્વજ્ઞ થઈશ ને અલ્પજ્ઞ નહિ રહી શકું એમ ભરોસો આવી જાય છે. ૩૦૩. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ!-એ નિરાવલંબનપણે કોઈના આધાર વિના અદ્ધરથી વિચારની ધૂન ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠ નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું.. આ.. હું એમ ઘોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. (નિર્વિકલ્પ થવા પહેલાંની દશા આવી હોય છે.) ૩૦૪. - આ આત્માને પરમાત્મા થવાની વાત અબજો રૂપિયા આપે તો પણ સાંભળવા મળે તેવી નથી. આ પરમાત્માની વાત પૈસાની ચીજ જ નથી. આનું પૈસાથી મૂલ્યાંકન થઈ શકે નહિ. બહારની ચીજથી મૂલ્યાંકન થઈ શકે એવી આ ચીજ જ નથી. ૩૦૫. માથાનો કાપનાર, કંઠનો, છેદનાર, પોતાનું જેટલું અહિત નથી કરતો તેટલું અહિત પોતાનો ઊંધો અભિપ્રાય કરે છે, જગતને પોતાના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy