________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસા૨]
[ ૭૯
ચિંતવન કરતાં કરતાં એવો અપૂર્વ આનંદ આવે છે તે આનંદ અતીન્દ્રિય છે કે કષાયની મંદતાનો છે તે કેમ ખ્યાલમાં આવે?
ઉત્તર:- ચિંતવનમાં કષાયની મંદતા ઘણી થતાં તેને આનંદ માની લ્યે તે ભ્રમ છે. ખરો અતીન્દ્રિય આનંદ નથી. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવતાં રાગ ને જ્ઞાનની ભિન્નતા પ્રતીતમાં આવે છે. એ અતીન્દ્રિય આનંદનું શું કહેવું ? અલૌકિક છે. ખરેખરી રુચિવાળા જીવને કષાયની મંદતામાં અતીન્દ્રિય આનંદનો ભ્રમ થતો નથી. અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યા વિના તે ઝંપતો નથી. ૨૯૨.
*
પ્રશ્ન:- જ્ઞાની સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે અને સમ્યક્ સન્મુખ જીવ પણ સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે. તે બન્નેની વિધિનો પ્રકાર એક જ છે કે કાંઈ ફેર છે?
ઉત્ત૨:- જ્ઞાની સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે તેને આત્માનું લક્ષ તો થયું છે આત્મા લક્ષમાં છે અને તેમાં એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ કરતાં વિકલ્પ છૂટી નિર્વિકલ્પ થાય છે. સ્વસન્મુખ જીવને તો હા આત્માનું લક્ષ થયું નથી. આત્મા લક્ષમાં આવ્યો નથી. પણ જ્ઞાનમાં મોથેઓથે (ધારણાથી ) જાણ્યો છે. પ્રત્યક્ષ થયો નથી. વિકલ્પથી આત્માનું લક્ષ ઓથે–ઓથે થયું છે તેને અંદર પુરુષાર્થ ઉગ્ર થતાં સવિકલ્પતા છૂટીને નિર્વિકલ્પતા થાય છે. (એ રીતે નિર્વિકલ્પ થવાની વિધિનો પ્રકાર એક હોવા છતાં જ્ઞાનીએ વેદનથી આત્મા જાણ્યો છે અને સ્વસન્મુખવાળાએ ઓથેઓથે-આનંદના વેદન વિના આત્માને જાણ્યો છે.) ૨૯૩.
*
પ્રશ્ન:- વિકલ્પથી નિર્વિકલ્પ થવામાં સૂક્ષ્મ વિકલ્પ રોકે છે તેનું શું
કરવું ?
ઉત્તર:- નિર્વિકલ્પ થવામાં વિકલ્પ રોકતો નથી પણ અંદર ઢળવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com