________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ].
[ પરમાગમસાર ઉપર નથી પણ સ્વભાવ ઉપર હોય છે. તેથી કાળનયથી જાણે છે કે જે સમયે ચારિત્ર પ્રગટ થવાનું છે તે સમયે જ પ્રગટ થશે. જે કાળે કેવળજ્ઞાન થવાનું છે તે જ કાળે થશે. કોઈ મુનિ લાખો વર્ષ ચારિત્ર પાળે ને કેવળજ્ઞાન થતા વાર લાગે. કોઈ મુનિને અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈ જાય. તેથી લાંબો કાળ ચારિત્ર પાલન કરનાર મુનિને અધીરજ થતી નથી. તે જાણે છે કે કેવળજ્ઞાન થવાનું જ છે તે અકાળે થશે. ૨૮૨.
*
માંગલિકનો અર્થ:-“મંગ” એટલે પવિત્રતા અને “લ” એટલે પ્રાપ્તિ. આત્મા આનંદસ્વરૂપ છે. તેના આનંદની પ્રાપ્તિ થવી તે માંગલિક છે. વસ્તુ આનંદ સ્વરૂપ છે. પણ પર્યાયમાં તેની પ્રાપ્તિ થવી તે માંગલિક છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ શાશ્વત જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. તેની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે મંગલ છે. ૨૮૩.
બીજો અર્થ: મમ્ અને ગલ. પુણ્ય-પાપનો રાગ તે હું ને તેનું ફળ તે હું એવો અહંકાર તે મમ્ અર્થાત્ વિપરીત અભિપ્રાય, તેનો નાશ તે ગલ એટલે કે તે મંગલ છે. પહેલો અર્થ અસ્તિથી છે. આ બીજો અર્થ નાસ્તિથી છે. મિથ્યાત્વનો નાશ તે મમ્રૂગલ મંગલ છે. ૨૮૪.
કેવો છે ચૈતન્યભાવ?-કે વિભુ છે અર્થાત્ પોતાના સ્વરૂપમાં વ્યાપનારો છે. પોતાના વિશેષણોમાં વ્યાપનારો, ગુણોનો એકરૂપ વિભુ છે. પોતાના સ્વરૂપમાં વ્યાપનારો ચૈતન્યવિભુ છે. તે પર્યાયમાં આવતો નથી એવો નિર્ણય, એવો અનુભવ પર્યાયમાં છે પણ તે પર્યાયમાં વસ્તુ આવી નથી. અનુભવથી વસ્તુ ભિન્ન છે પણ અનુભવની દષ્ટિમાં એકરૂપ વસ્તુ છે કે જે સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. અનુભવમાં આવા સંસ્કાર તે એક માત્ર કર્તવ્ય છે. ૨૮૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com