________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૫૯
પરમાગમસાર]
જેના જન્મ-મરણની ગાંઠ ગળી નથી એણે જીવનમાં કાંઈ જ કર્યું નથી અને જેણે ગૃહસ્થાશ્રમમાં પણ જન્મ-મરણની ગાંઠ ગાળી નાખી એણે બધું કરી લીધું છે. સિદ્ધ ભગવાન એના હાથમાં આવી ગયાં છે. ૨૦૬.
વસ્તુ શરીરને અડયું નથી. શરીર કર્મને અડ્યું નથી. કર્મ વિકારને અડલ નથી. વિકાર નિર્મળ પર્યાયને અડેલ નથી. નિર્મળ પર્યાય દ્રવ્યને અડેલ નથી. આહાહા ! વસ્તુસ્વભાવ સૂક્ષ્મ છે એક પ્રદેશનો બીજા પ્રદેશમાં અભાવ છે. એક ગુણમાં બીજા ગુણનો અભાવ. એક પર્યાયનો બીજા પર્યાયમાં અભાવ છે. વિભાવ વ્યંજન પર્યાયનો સ્વભાવ વ્યંજન પર્યાયમાં અભાવ છે. આ વસ્તુસ્વભાવ સર્વજ્ઞ જેવો જોયો તેવો કહ્યો છે. ૨૦૭.
રાગ સ્વભાવને સ્પર્યો નથી એ વાત બેઠા વિના નિમિત્ત ઉપાદાનને સ્પર્શતું નથી એ વાત નહીં બેસે. ૨૦૮.
જેણે પોતાના પર્યાયઅંશની દષ્ટિ છોડીને દ્રવ્યદૃષ્ટિ કરી એ બીજા દ્રવ્યને પણ એ જ રીતે જોવે છે, એટલે કે અન્ય પદાર્થોને પણ તેની પર્યાયથી જોતા નથી, તેને પણ દ્રવ્યથી જ વસ્તુપણે જ અખંડ દખે છે. ૨૦૯.
પહેલાં આ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્કૂરણા ચાલ્યા કરે, આ સમ્યક પહેલાંની વાત છે આ જ સમ્યગ્દર્શનનો ઉપાય છે બીજો કોઈ ઉપાય જ નથી. ૨૧૦.
કેવળજ્ઞાનનો કેવો આનંદ છે અને કેવું સ્વરૂપ છે એનો ખ્યાલ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com