________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૪૯
ઝીણી વાત છે, અંતરથી સમજે તો સમજાય તેવી છે. ૧૬૩.
*
પ્રશ્ન:- જ્ઞાનીને દુઃખ જણાય છે કે વેદાય છે?
ઉત્તર:- જ્ઞાનીને દુઃખ જણાય છે ને વેદાય પણ છે. જેમ આનંદનું વેદન છે તેમ જેટલું દુ:ખ છે એટલું દુ:ખનું પણ વેદન છે. ૧૬૪.
*
જાણન-દેખન સ્વભાવ માત્રની દૃષ્ટિ કરતા નવતત્ત્વરૂપ પરિણમન અભેદમાં તો છે નહીં, ચેતનાસ્વભાવમાત્ર વસ્તુમાં ભેદ તો છે નહીં તેથી તેને જૂઠા કહી દીધા. પર્યાય પર્યાય તરીકે સત્ય છે, પણ લક્ષ કરવા માટે જૂઠી છે. દયા-દાન આદિ તો રાગ છે, તે લક્ષ કરવા લાયક નથી. પણ સંવર-નિર્જરા તે પણ લક્ષ કરવા લાયક નથી. જાણવા લાયક છે. ૧૬૫.
*
જે વિકલ્પ ઊઠે છે તેને ધર્મી જાણે છે, વિકલ્પ છે તેને ધર્મી જીવ કરતો તો નથી. પણ વિકલ્પ સંબંધી જે જ્ઞાન થયું તેનો કર્તા વિકલ્પ નથી. રાગ આવે છતાં રાગ છે માટે રાગ સંબંધીનું જ્ઞાનીને જ્ઞાન થાય છે તેમ નથી. રાગને ને જ્ઞાનીના જ્ઞાનને જ્ઞેયજ્ઞાયકસંબંધ છે. છતાં રાગ છે તે જ્ઞાનનો કર્તા નથી. ૧૬૬.
*
આનંદસકંદ પ્રભુનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધભાવ છૂટતા નથી. ને અશુદ્ધ સંસ્કાર છૂટયા વિના સ્વરૂપનો અનુભવ થતો નથી. રાગની એકતાના સંસ્કાર છૂટયા વિના શુદ્ધસ્વરૂપનો અનુભવ થતો નથી. ને શુદ્ધસ્વરૂપનો અનુભવ થયા વિના રાગની એકતાના સંસ્કાર છૂટતા નથી. મહિમાવંત એવા પ્રભુનો મહિમા આવ્યા વિના તુચ્છતાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com