________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૧
પરમાગમસાર]
દુષ્કર લાગે તોપણ એ સિવાય ચાર ગતિના રઝળપાટ નહીં ટળે બાપુ! જ્ઞાનની જે વર્તમાન પર્યાય છે તેના પર અનાદિનું લક્ષ છે પણ તેની સમીપમાં જે પરમ પુરુષ નીકટ બિરાજે છે. સર્વોત્કૃષ્ટ પ્રભુ છે, તેનું લક્ષ કદી કર્યું નથી. તેથી હવે એ પર્યાયને ત્યાં અંતરમાં વાળ ભાઈ ! ૧૩૩.
*.
પહેલા પર્યાયનું લક્ષ છોડાવીને પછી ગુણ-ગુણીના ભેદનું લક્ષ છોડાવ્યું છે. સમજાવવામાં તો ક્રમ પાડયા સિવાય શી રીતે સમજાવે? તેથી કહે છે કે, પર્યાયને અંતરમાં વાળ અને સાથે જે ગુણ-ગુણીના ભેદ છે તેને તિરોધાન કરી દે-અદેશ્ય કરી દે-ઢાંકી દે-એમ કહેવાય છે. વસ્તુ જે દ્રવ્ય છે એટલે કે ચેતન તે દ્રવ્ય ને ચૈતન્ય તે ગુણ એવા ભેદને ઢાંકી દે ને એક અભેદને લક્ષમાં લે. આ તો ત્રણલોકના નાથની વાણી છે. અનંતકાળમાં જે નથી કર્યું તેની વિધિની આ રીત છે. ૧૩૪.
ત્રણ લોકનો નાથ આત્મવસ્તુ અભેદ છે. તેના ઉપર લક્ષ જતાં સમ્યગ્દર્શન થાય છે. ગુણ-ગુણીના ભેદમાં લક્ષ રહેતાં વિકલ્પ ઉઠશે, રાગ થશે, બંધન થશે, તેથી ગુણ-ગુણીના ભેદને જાણતો નથી. એમ અલોપ કરી દેને! અને નિત્યાનંદ પ્રભુ છે ત્યાં દષ્ટિ દેને ભાઈ ! દ્રવ્યદષ્ટિ તે સમ્યગ્દર્શન છે. પણ દ્રવ્ય ને ગુણની દૃષ્ટિ તે સમ્યગ્દર્શન છે એમ નથી કહ્યું. ૧૩૫.
પહેલાં દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે પહેલાં ભેદ આદિના વિકલ્પો હોય છે, પણ પછી પર્યાયને સંક્ષેપી નાખે છે અને ગુણ-ગુણીના ભેદને ટૂંકા કરી નાખે છે. સંક્ષેપી નાખે છે તેનો અર્થ શું! – કે તેના ઉપરનું લક્ષ છોડી દે છે ને અનંતા. અનંતા ગુણોને જે પી ગયું છે એવું જે દ્રવ્ય છે તેને ધ્યેય બનાવીને કેવળ આત્માને જાણતાં ક્ષણે-ક્ષણે મલિનતા નાશ પામે છે, ને વીતરાગતા પ્રગટે છે. મલિનતાનો ક્ષય થતો જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com