________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨]
[ પરમાગમસાર કરવો પડે છે એમ નથી કહ્યું કેમ કે ક્ષણે-ક્ષણે નાશ પામતી જાય છે. ૧૩૬.
જ્યાં સુધી પરિપૂર્ણ સ્વભાવની દૃષ્ટિ નથી ત્યાં સુધી પર્યાય ઉપર દષ્ટિ હોવાથી તે કાળે એટલે કે મિથ્યાત્વદશાના કાળે રાગાદિનો કર્તા થાય છે. ૧૩૭.
જગતમાં સાર કોણ?-કે નિજ શુદ્ધ જીવવસ્તુ તે સાર છે, તે જ હિતકારી છે અને તેને જાણતા પર્યાયમાં જ્ઞાન તથા સુખ પ્રગટે છે કેમ કે શુદ્ધ જીવવસ્તુમાં જ્ઞાન અને સુખ છે અને તેથી જ તે સારરૂપ હોવાથી નમસ્કાર યોગ્ય છે, આદરવા યોગ્ય છે. ૧૩૮.
| જિનવરે કહેલો વ્યવહાર પોતે જ સમ્યકત્વસ્વરૂપ નથી અને તે સમ્યકત્વનું કારણ નથી. જ્ઞાયક ભગવાન પોતે જ સમ્યકત્વનું કારણ છે. તથા સ્વના જ્ઞાન ને સ્વની શ્રદ્ધા વિના જિનવરે કહેલો વ્યવહાર પાળે તોપણ તે સંસારનું કારણ છે. ૧૩૯.
બાર-અંગેનું જ્ઞાન પૂર્વે કદી થયું નથી છતાં તે વિસ્મયકારી નથી પણ તેમાં કહેલો ભગવાન આત્મા તે વિસ્મયકારી છે. જે જ્ઞાનમાં આત્મા કારણ ન થાય તે જ્ઞાન નહીં. અહીં તો અભેદથી આત્મા તે જ્ઞાન એમ કહ્યું પણ એમ કહીને પાછું કહ્યું એમ કે આત્મા તેમાં કારણ છે, તું છે, નિમિત્ત છે. પરંતુ એમ કહ્યું નથી કે આત્મા જ્ઞાનની પર્યાયમાં આવી ગયો. આત્માનું જ્ઞાન પર્યાયમાં આવ્યું છે પણ આત્મા પર્યાયમાં આવ્યો નથી. ૧૪).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com