________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
ગમસાર - જ્ઞાનના ક્ષયોપશમનું વજન નથી પણ અનુભૂતિનું વજન છે. તેથી કહે છે કે આત્માને અનુલક્ષીને આત્માના સ્વાદનો અનુભવ થવો તે અનુભૂતિ છે અને બાર અંગમાં પણ અનુભૂતિનું વર્ણન કર્યું છે - અનુભૂતિ કરવાનું કહ્યું છે. અનાકુળ જ્ઞાન ને અનાકુળ આનંદનો અનુભવ કરવો એમ બાર અંગમાં કહ્યું છે. શુદ્ધ આત્માની દષ્ટિ કરીને સ્થિરતા કરવી એમ તેમાં કહ્યું છે. બાર અંગથી વિશેષ શ્રુતજ્ઞાન ન હોય. તેમાં ચારેય અનુયોગનું જ્ઞાન આવી જાય છે-એવું ઉત્કૃષ્ટ બાર અંગનું જ્ઞાન તે મોક્ષમાર્ગ નથી. બાર અંગવાળાને સમ્યગ્દર્શન હોય જ – સમ્યગ્દર્શન વિના બાર અંગનું જ્ઞાન ન જ હોય પણ તે ક્ષયોપશમજ્ઞાન તે મોક્ષમાર્ગ નથી પરંતુ અનુભૂતિ તે મોક્ષમાર્ગ છે. આટલો બધો ઉઘાડ થયો માટે મોક્ષમાર્ગ વધી ગયો તેમ નથી. ૭૯.
પ્રશ્નઃ- વ્યક્તપર્યાય છે તે ખ્યાલમાં આવે છે પણ અવ્યક્ત દ્રવ્યનો શી રીતે ખ્યાલ આવે?
ઉત્તર- પહેલા શાસ્ત્ર આદિથી જાણપણું કરવું જોઈએ. રાગની પર્યાય વ્યક્ત છે તે તો ખ્યાલમાં લ્ય છે પણ તેની પાછળ અવ્યક્ત ભગવાન પડયો છે તેને લક્ષમાં લેવો જોઈએ. વ્યક્ત પર્યાયનું અસ્તિત્વ તો એક સમયનું છે. તેની પાછળ અવ્યક્ત ભગવાન છે તેનું ત્રિકાળ ટકતું મહાન અસ્તિત્વ પડ્યું છે તેને લક્ષમાં લઈને તેના સંસ્કારને પહેલા દઢ કરવા જોઇએ. લાખ વાત બીજી આવે. ક્રિયાકાંડ-શુભરાગ અનેક પ્રકારના હો, પણ તેમાં લક્ષ જતાં લાભ નથી. નુકશાન છે. સ્વના આશ્રયથી જ લાભ થાય છે. એવા દઢ સંસ્કાર પહેલા નાખે તો પછી અવ્યક્ત ભગવાન અનુભવમાં આવે છે. ૮૦.
સમ્યગ્દષ્ટિએ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્યો ત્યાર પછી (એવી
ભાવના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com