________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૨૪] તે મોક્ષનો માર્ગ છે. ૭૧.
જ્ઞાનસ્વરૂપી ને અતીન્દ્રિય આનંદ સ્વરૂપી પ્રભુ અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ વડે આસ્વાદવા લાયક છે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપી હોવાથી ભગવાન આત્મા જ્ઞાનગુણ વડ અનુભવવા લાયક છે. જ્ઞાનગુણ સિવાય અનુભવવા યોગ્ય નથી. કારણ કે કારણોતર વડે તે અનુભવવા યોગ્ય નથી. એટલે કે આ કારણ સિવાય અર્થાત્ જ્ઞાનગુણ સિવાય રાગની ક્રિયા આદિ અન્ય કારણો વડે ભગવાન આત્મા જણાવા લાયક નથી. ૭ર.
કરોડો રૂપિયા ખર્ચે, મંદિરો બંધાવે કે જાવજીવ - આજીવન બ્રહ્મચર્ય પાળે પણ એ શુભરાગ છે. શુભરાગ છે તે કલેશ છે, દુઃખ છે, આડંબર છે. એવો આડંબર કરો તો કરો, પણ સર્વજ્ઞ વીતરાગદેવે જે આત્મા કહ્યો છે તેની પ્રાપ્તિ તો તેનાથી થશે નહીં. ધર્મના નામે એ શુભરાગનો રસ છે પણ એ રાગના રસ વડે વીતરાગ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ૭૩.
શ્રુતની જે વાણી છે તે અચેતન છે તેમાં જ્ઞાન નથી આવ્યું માટે ભગવાન આત્મા ને દ્રવ્યશ્રુત ભિન્ન છે, એટલે કે દ્રવ્યશ્રુતથી આત્માને જ્ઞાન થતું નથી.
દ્રવ્યશ્રુતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે કેમ કે તે પરલક્ષી જ્ઞાન છે. સ્વલક્ષી જ્ઞાન નથી. દ્રવ્યશ્રુત જડ વાણી તે આત્મા નથી ને તેને સાંભળવાથી જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. સ્વભાવને સ્પર્શીને થયેલું જ્ઞાન તે જ્ઞાન છે. દ્રવ્યશ્રુત તો જડ છે પણ તેના નિમિત્તે જે જ્ઞાન થાય તે પરસત્તાવલંબી જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. દ્રવ્યહૃતના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com