________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર |
[ ૨૧ વિકલ્પોથી શું સિદ્ધિ છે? અરે! દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ વિકલ્પોથી શું પ્રયોજન છે? તેના તરફનું સાવધાનપણું છોડ! ૬૧.
ચૈતન્ય ચમત્કારી તત્ત્વનું સામર્થ કેટલું !—એમ અંદરમાં દેખે-પ્રતીત કરે તો ધર્મનો મહેલ થવાનો પાયો ઊભો થાય. વિકલ્પ તૂટયા વિના આવી વસ્તુ અંદરમાં બેસે નહિ. વસ્તુ છે તે સીમા રહિત છે. અમર્યાદિત વસ્તુ છે, અક્ષય ને અમેય વસ્તુ છે. એ વસ્તુને શ્રદ્ધામાં લેનારી પર્યાય પણ કદી નાશ ન થાય એવી અક્ષય ને અમેય છે. ભલે અચારિત્રના પરિણામ હોય તોપણ એની શ્રદ્ધા પર્યાયની -જ્ઞાનપર્યાયની એટલી તાકાત છે કે રાગ (પોતામાં) નથી. પરદ્રવ્ય પોતામાં નથી.-એમ જાણી લ્ય છે. ૬૨.
અરે! આવા ચમત્કારી સ્વભાવની વાત સ્વના લક્ષે સાંભળે તો મિથ્યાત્વના ભૂકા ઉડી જાય એવી આ વાત છે. ૬૩.
શરીરના એક એક તસુમાં ૯૬–૯૬ રોગ છે. એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે. કાંઈક સગવડતા હોય ત્યાં ઘુસી જાય છે. પણ ભાઈ ! તારે ક્યાંક જવું છે ત્યાં કોનો મહેમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કાંઇક કરી લે! શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉઘડે નહીં ને ક્ષણમાં દેહ છૂટતા અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ ! નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે માટે તારું કાંઈક કરી લે! ૬૪.
પ્રશ્ન:- ચોથા ગુણસ્થાનવાળા સમ્યગ્દષ્ટિને તો ભય થતો દેખાય છે ને તેનો ઉપાય પણ કરે છે ને?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com