________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦]
[ પરમાગમ સારા આંધળા! તું આંધળો છે, કેમકે જે છતી ચીજ-તારું આત્મસ્વરૂપ છે તેને તું જોતો નથી ને તારી નજર પુણ્ય-પાપ ને તેના ફળમાં છે માટે આંધળો છો. ભલે શાસ્ત્ર જાણતો હોય કે મહાવ્રતાદિની ક્રિયા પાળતો હોય પણ તે આંધળો છે, કેમ કે જેમાં અનંત આનંદ ને શાંતિ પૂર્ણ ભરેલી છે તેને તે ભાળતો નથી–દેખતો નથી. ૫૮.
રાગનો રાગ કરનારાને, પુણ્યનો રાગ કરનારાને, સ્ત્રી – પુત્રાદિનો રાગ કરનારાને ચૈતન્યનો પ્રેમ નથી, તે ચૈતન્યનો ખૂની છે. માયાજાળનો પ્રેમીલો શુદ્ધસ્વરૂપી ભગવાનનો ખૂની છે. તારા ચૈતન્યના ખજાનાને જોતાં તને ભાસશે કે જે ખજાને ખાલી છે એવા શુભાશુભમાં તું પડયો છે. ભાઈ ! તને મનુષ્યપણું મળ્યું છે ને? - જો તું તારા આત્માને અનુભવે તો મનુષ્યપણું મળ્યું કહેવાય. નહીં તો મનુષ્યરૂપે ઢોર સમાન છે. પ૯.
ભવ ને ભવના ભાવથી રહિત પ્રભુ છે, તેના સિવાય બીજે ક્યાંય ચેન પડે નહીં તેવી વસ્તુ છે. ચૈતન્યસ્વરૂપ એક જ ચેન પડે તેવી ચીજ છે તેથી તેને એકને જ અવલંબો. અહીં એકાંતે જ્ઞાયકસ્વભાવને જ અચળપણે અવલંબો તેમ કહ્યું છે. નિમિત્તનું દેવ-ગુરુ-શાસ્ત્રનું, રાગનું કે શુદ્ધ પર્યાયનું પણ અવલંબન લેવા કહ્યું નથી. ૬૦.
શુભાશુભના વિકલ્પોથી, રાગાદિના ભાવથી કે દ્રવ્યોના ભેદરૂપ વિચારથી તને શું લાભ છે? એવા વિકલ્પોનું સાવધાની પૂર્વક પ્રતિપાલન એટલે કે આચરણ અને સ્મરણ તેનાથી તને કઈ કાર્યસિદ્ધિ થાય છે? કોઈ કાર્યસિદ્ધિ થતી નથી. એક બાજુ ભગવાન આત્માનો અનુભવ છે ને બીજી બાજુ ભેદ – વિકલ્પો આદિ છે પણ તારે એ બીજી બાજાનું શું કામ છે? અભેદ ચૈતન્યસ્વભાવનો અનુભવ થયો તેને દયા, દાન આદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com