________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૧૮ ]
પણ સ્વતંત્ર સામર્થ્ય જીવનું પોતાનું જ છે. વિકારને સ્વતંત્રપણે નાશ કરવાનો ધર્મ પણ જીવે ધારી રાખ્યો છે. કર્મનો ઉદય મોળો પડે ત્યારે વિકારનો નાશ કરી શકે. અથવા પ્રકૃતિ મોળી પડે ત્યારે જીવ પુરુષાર્થ કરી શકે, તે વાત તદ્દન જૂઠી છે. ૫૦.
*
નય શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ છે. પ્રમાણજ્ઞાનને પ્રમાણપણું ત્યારે અને તો જ પ્રાપ્ત થાય છે કે જો અંદર દૃષ્ટિમાં વિભાવ તેમ જ પર્યાયના ભેદોથી રહિત શુદ્ધાત્મદ્રવ્યરૂપ ધ્રુવની શ્રદ્ધાનું આલંબનનું જોર સતત વર્તતું હોય. ધ્રુવસ્વભાવના આલંબનનું બળ જ્ઞાનીને સદૈવ વર્તતું હોવાથી તેનું જ્ઞાન સમ્યકપ્રમાણ છે. ૫૧.
*
શુદ્ધ ચૈતન્યધ્રુવના ધ્યાને જેને સમ્યાન પ્રગટયું છે તેવા જીવને આવી પર્યાયની યોગ્યતાઓ હોય છે. (અનેક પ્રકારની) તેવું જ્ઞાન થાય છે. પણ તે તે ધર્મોના જ્ઞાનથી કે તેના અવલંબનથી સમ્યગ્દર્શન થાય છે એમ નથી. આવા વિવિધ ધર્મોનું જ્ઞાન કરીને સાધક જીવને સદૈવ ત્રિકાળ ચૈતન્યમૂર્તિ ધ્રુવનું જ દ્રવ્યસ્વભાવનું જ અવલંબન હોય છે. ૫૨.
*
અહો ! સંતો કેટલી કરુણાપૂર્વક આવા ગહન વિષયને સમજાવી રહ્યા છે. જ્ઞાનથી મુક્તિ થાય એ વાત સાચી છે પરંતુ તે પણ પર્યાય છે. માટે તે માત્ર જાણવાયોગ્ય છે. ધ્યાનના વિષયમાં વિવેકને જ્ઞાનને ( પર્યાયને ) લેવાનો નથી. ધ્યાનનો વિષય તો અખંડ ચિદાનંદસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. મોક્ષમાર્ગની નિર્મળ પર્યાયનો પણ જેમાં અભાવ છે એવું શુદ્ધ ચૈતન્યદ્રવ્ય જ સાધકનું ધ્યેય છે. તેના આશ્રયે જ મોક્ષમાર્ગની શુદ્ધ પર્યાય પ્રગટે છે. અને તેનાથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. ૫૩.
*
પ્રશ્નઃ- (વ્યવહા૨ અને નિશ્ચય) બે નયોને જાણવાનું કહ્યું છે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com