________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪]
[ પરમાગમસાર નથી. પર્યાય ફેરવવાની બુદ્ધિ મિથ્યાદષ્ટિને છે. સ્વભાવ સન્મુખ દશામાં જોર થતાં શુદ્ધોપયોગ સહજ થઈ જાય છે. ૯૧૮.
વીતરાગના માર્ગમાં તો સમકિતની મુખ્યતા પ્રથમ છે. ભેદજ્ઞાન પહેલા થવું જોઈએ. તે સમ્યકત્વ તો સ્વ પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે માટે દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થાય તે પ્રથમ ધર્મ છે અને પછી વ્રતાદિ હોય છે. ૯૧૯.
અધ્યાત્મગ્રંથ કે જે ભેદજ્ઞાન કરવાનું નિમિત્ત છે તેનો અભ્યાસ પ્રથમ કરવો યોગ્ય છે. અનાદિ અજ્ઞાની અપ્રતિબદ્ધ છે અને આ ઉપદેશ આપવામાં આવે છે. આ કાંઈ ઊંચી દશાવાળા માટે છે એમ નથી. ત્રણે કાળે આ જ ઉપદેશ કરવો યોગ્ય છે. અમુક કાળે આ હોય અને હલકા કાળે બીજો હોય એમ નથી. ૨૦.
પ્રશ્ન:- ઊંચા ઉપદેશનું સ્વરૂપ નીચલી દશાવાળાને ભાસે નહિ. માટે આવી વાત અમને સમજાય નહિ. એલ. એલ. બી. અને એમ. એ. ની. ઊંચી વાત અમારે માટે નથી. તેથી અધ્યાત્મ ઉપદેશ કરવો યોગ્ય નથી. કેમકે અમારી વર્તમાન એવી લાયકાત નથી.
| ઉત્તર- અન્ય તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે અને અહીં મૂર્ણપણું પ્રગટ કરે છે તે યોગ્ય નથી. સંસારની ખાવા-પીવાની વાત કરે તો એમાં ચતુરાઈ બતાવે, વ્યવહારની વાત કરે તો આવું ખપે અને આવું ન ખપે, શુદ્ધ આહાર આવો હોય વગેરે કહે પણ
વ્યવહારે લખ દોહ્યલા, કાંઈ ન આવે હાથ રે.” સંસારમાં રુચિવાળો હોવાથી સંસારનાં કામ બધાં જાણે અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com