________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮]
ગમસાર અને અજ્ઞાનીનાં અભિપ્રાયમાં મોટો ફેર છે. અજ્ઞાની મંદકષાયને ઉપાદેય માને છે, તેને એક પણ ભવનો નાશ થતો નથી. સમ્યગ્દષ્ટિ કષાયને હેય માને છે. તેથી તેણે અનંત ભવોનો નાશ કર્યો છે. માટે અભિપ્રાયની અપેક્ષાએ ચોથા તથા પાંચમા ગુણસ્થાનવાળા જ્ઞાની કરતાં દ્રવ્યલિંગીને હલકો કહ્યો છે. દ્રવ્યલિંગીને વૈરાગ્ય પણ ઘણો હોય છે. પણ અત્યંતરમાં દષ્ટિ કષાય ઉપર છે. અકષાય સ્વભાવની દષ્ટિ તેને નથી તેથી તે મંદ કષાયરૂપ પરિણામને ઉપાદેય માને છે. જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં ઉગમણો આથમણો (પૂર્વ-પશ્ચિમ) ફેર છે. માટે જ્ઞાની કરતાં દ્રવ્યલિંગી મુનિને કષાય ઘણો છે-એમ કહેલ છે. ૮૯૫.
જેના નિમિત્તે આત્માની યથાર્થ વાત સાંભળી હોય, જેની પાસેથી ન્યાય મળ્યો હોય તેનો વિનય જ ન કરે તો તે વ્યવહાર નિદ્વવ છે,-ચોર છે. ૮૬.
એકાંત કરવું નહીં એમ મિથ્યાષ્ટિ માને છે, પણ વ્યવહારનયના અંગીકારના અર્થને તે સમજતો નથી. આત્માની પર્યાયમાં રાગ થાય છે. એને સમ્યક પ્રકારે જાણવો તે વ્યવહારનયનો અંગીકાર છે. આત્મામાં અલ્પ જ્ઞાનની પયાર્ય છે. એને જાણવું કે મારી પર્યાય અલ્પજ્ઞાનરૂપ છે, તે વ્યવહારનય છે. રાગને આદરવો તેને અજ્ઞાની વ્યવહારનય કહે છે. તેણે તો વીતરાગભાવ અને રાગ ભાવ બન્નેથી લાભ માન્યો તે એકાંત છે. ૮૯૭.
આત્માનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાતા છે તેની રુચિ થઈ તે વખતે રાગ હોય છે તે નિમિત્ત છે. પણ તેનાથી વીતરાગતા થતી નથી. સાધક દશામાં રાગ છે જ નહિ તેમ નથી. એટલે નિમિત્ત છે જ નહિ તેમ નથી. નિમિત્તને ફેરવવું નથી, આવું પાછું કરવું એ સ્વભાવમાં છે જ નહિ. બહારની ક્રિયા તો આત્માના હાથની વાત છે જ નહિ. પણ અશુભ ભાવ છોડીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com