________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧
પરમાગમસાર] જ્ઞાન દ્વારા વેદે તેને પ્રત્યક્ષ અનુભવ કહે છે. ર૬.
પ્રશ્ન:- જ્ઞાનમાં રાગ જણાય છે. પણ જ્ઞાનમાં રાગ એકમેક હોય એવું કેમ લાગે છે?
ઉત્તર:- ભેદજ્ઞાનના અભાવથી અજ્ઞાની રાગ અને જ્ઞાનની અતિ નિકટતા દેખી એકમેક હોય તેવું માને છે પણ રાગ અને જ્ઞાન એકમેક છે નહિ. ર૭.
જીવ જિનવર છે ને જિનવર જીવ છે એવી દષ્ટિ થાય તેને પર્યાયબુદ્ધિ છૂટી જાય છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદરમાં જવાય છે. વ્યવહારમાં કેટલાય પ્રકારની લાયકાત હોય. સંસારભાવો જરાય ચે નહિ, આત્મા,.... આત્મા... ની ધૂન લાગે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ૨૮.
નિર્વિકલ્પ થવાવાળો જીવ નિર્વિકલ્પ થયા પહેલાં આવો નિર્ણય કરે છે કે રાગાદિભાવે સદાય હું પરિણમનારો નથી. પણ જ્ઞાન-દર્શનરૂપ પરિણમનારો (એવા સ્વભાવે) છું. હજુ રાગાદિભાવો થશે એમ જાણે છે. છતાં તેના સ્વામીપણે હું થનાર નથી, મને ભવિષ્યમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર થશે એવો મારો પ્રયત્ન છે છતાં તે વખતે રાગ હશે. પરંતુ તે રૂપે હું (સ્વભાવે કરીને ) પરિણમનાર નથી તેવો નિર્ણય છે. નિર્ણય કરે છે. પર્યાયમાં. પછી અનુભવ થશે પર્યાયમાં. પણ તે પર્યાય એવો નિર્ણય કરે છે કે હું તો ચિત્માત્ર અખંડ જ્યોતિ સ્વરૂપ છું, પર્યાયરૂપ નથી. ૨૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com