________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૨૩૫ નિર્ણય થાય છે. એમ જ્ઞાન-દર્શન–વીર્યનો અંશ છે તે ચૈતન્યનો અંશ છે, તેનાથી ચૈતન્યસ્વભાવી આત્માનો નિર્ણય થાય છે. કેમકે તે રાગ દ્વેષ કે પુણ્ય-પાપનો અંશ નથી, તે ઔપાધિકભાવ નથી. આમ આત્માનો નિર્ણય કરવો તે માંગલિક છે. ૮૫૧.
અઘાતિ કર્મના ઉદયથી બાહ્ય સામગ્રી મળી આવે છે. આત્માના પ્રયત્નથી બહારની સામગ્રી મળતી નથી. એકને જાડું શરીર અને એકને પાતળું શરીર મળે છે. તે પૂર્વના કર્મનું કારણ છે. તે સંયોગો બંધનું કારણ નથી પણ આત્મામાં મિથ્યાત્વાદિનાં ભાવો થાય છે તે બંધનું કારણ છે. એમ નક્કી કરે તો તે મોહના નાશનો ઉપાય કરે માટે અહીં કહે છે કે અઘાતિ કર્મના નિમિત્તે તો બહારમાં સંયોગ મળે છે. તેમાં શરીરાદિક તો જીવના પ્રદેશોથી એક ક્ષેત્રાવગાહી થઈ એક બંધાન રૂપ જ હોય છે, અને ધન, કુટુંબાદિ બહારના સંયોગરૂપે રહે છે. પૈસા મળવા તે તો પૂર્વના અઘાતિ કર્મનો ઉદય એ પ્રકારનો હોય તો મળે છે. વર્તમાન પ્રયત્નનું ફળ નથી. વર્તમાન મેળવવાનો ભાવ થયો તે મોહના કારણે નવું બંધન થાય છે એમ કહે છે. ૮પર.
ઊંધી માન્યતા અને રાગ-દ્વેષાદિ બંધનું કારણ એક જ છે. ગરીબમાંથી ધનાઢય થાય છે તે અઘાતિ કર્મના નિમિત્તે થાય છે. પૂર્વે જે પ્રમાણે કર્મ બાંધ્યું હોય એટલા જ પ્રમાણમાં સામગ્રી મળે છે તે સામગ્રી શરીરાદિ અને પૈસો આદિ બંધનું કારણ નથી. કંચન-કામિની અને કુટુંબ તે બંધનનું કારણ નથી. માટે એને છોડવાથી બંધન છૂટતું નથી. તે કુટુંબાદિ તો અઘાતિ કર્મનું ફળ છે. કુટુંબની મમતા કરે તે સંસાર વૃદ્ધિનું કારણ છે. કુટુંબ સંસારનું કારણ નથી. દીકરા-દીકરી-વહુ-વેવાઈ સ્ત્રી આદિ મળેલા છે તે બધા આત્માથી દૂર, ભિન્ન છે તે કાંઈ દોષનું કારણ નથી. શરીર ઈન્દ્રિયાદિ તો એક ક્ષેત્ર અવગાહી છે એ પણ બંધનું કારણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com