________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૨૫ તેને લક્ષમાં લે છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાનવાળો (અજ્ઞાની) વિકાર અને પરને લક્ષમાં લે છે માટે એને ધર્મધ્યાન થતું નથી. ૮૧૪.
જગતમાં માલ લેવા જાય તો ત્યાં પણ બરાબર પરીક્ષા કરે અને ધર્મ જે અપૂર્વ છે તેની પરીક્ષા ન કરે તો ચાલે નહિ, પરીક્ષા કર્યા વગર એમને એમ ધર્મ થઈ જાય એમ નથી. માટે જેને કલ્યાણ કરવું હોય તેણે પહેલાં (ધર્મ કહેનાર અને ધર્મને) પુરુષને નક્કી કરવો પડશે. ૮૧પ.
કોઈ કહે કે, આપણે પરીક્ષા કરવાનું શું કામ છે? જે હોય તે માની લો. પણ એમ એવી રીતે ચાલે નહિ ધર્મ અપૂર્વ ચીજ છે, ધર્મની પર્યાય કેવી હોય? તેમાં નિમિત્ત કેવું હોય? તે પહેલાં જાણવું જોઈએ. જેણે રાગ, પુણ્ય અને નિમિત્તના આશ્રયે ધર્મ મનાવ્યો છે. એવા કુદેવાદિન નિમિત્તે રાગ-દ્વેષ રહિત થવાય નહિ. પણ વીતરાગી સર્વજ્ઞ પુરુષે રાગાદિથી રહિત આત્મા છે. એમ કહ્યું છે. એવા સાચા દેવાદિન નિમિત્તે રાગાદિ રહિત થવાય છે. ૮૧૬.
જેને ધ્યાનરૂપી તપની ખબર નથી તે તો બહારમાં તપસ્યા કરીને ધર્મ માને અને વરઘોડા કાઢે, પણ હજુ કુદેવાદિની શ્રદ્ધા જેને છૂટી નથી તેને ધર્મધ્યાન થતું નથી. પણ તે ગૃહીત મિથ્યાષ્ટિ છે. એવા જીવોને પુણ્ય-પાપ રહિત આત્મા છે. એ વાત રુચતી નથી. અને આત્માની જે ધર્મક્રિયા છે તે તેના લક્ષમાં આવતી નથી. જડની શરીરની ક્રિયામાં ધર્મ માનીને તે અધર્મને સેવે છે. ૮૧૭.
નિજસ્વભાવ સાધન વડે પરમાત્મા થવાય છે. ગૃહસ્થાશ્રમમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com