________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૦૯ સ્વામી છું, કેવળજ્ઞાનની અતીનિધિ મારામાં પડી છે. જડ સંયોગમાં મારું સુખ નથી”—તેવા ધર્મી જીવને ભગવાને પુષ્યજીવ કહ્યો છે. ૭૫૯.
પૂર્ણતાને પામેલા પરમાત્મા જગતમાં અનાદિ અનંત છે. અંતરાત્મા સાધક જીવો પણ અનાદિથી જ છે, ને બહિરાત્મા પણ અનાદિથી જ છે. જગતમાં કાંઈ પહેલાં પછી નથી, બધું સામાન્યપણે અનાદિ અનંત છે. એક જીવની અપેક્ષાએ સંસારનો નાશ, ને મોક્ષની શરૂઆત, એમ હોઈ શકે, પણ જગતમાં મોક્ષની શરૂઆત નવી નથી થઈ. અનાદિથી સંસારમાં રખડનારા જીવો છે. તેમ જ સાધક જીવો અને પરમાત્મદશાને પામેલા જીવો પણ અનાદિથી જ છે. ૭૬O.
કેરીના રસની મીઠી પર્યાય છે તે તેનો સ્વભાવ છે ને તેને જાણવાનો જીવનો સ્વભાવ છે પણ ત્યાં “આ મને ઠીક” એમ માને છે તે અજ્ઞાનીની મિથ્યા કલ્પના છે, તે મિથ્યા કલ્પના કોઈએ કરાવી નથી, પોતે મિથ્યા કલ્પના કરી તેમાં કેરી નિમિત્ત છે પણ નિમિત્ત કયારે કહેવાયું? કે અહીં નૈમિત્તિક છે ત્યારે નિમિત્ત નૈમિત્તિકનો એક જ સમય હોવા છતાં બન્ને સ્વતંત્ર છે. કેરીના રસનો આત્મામાં અત્યંત અભાવ છે, તો તેના કારણે આત્મામાં કાંઈ થાય એમ બને નહિ. અભાવ કહેવો અને વળી તેનાથી કાંઈ થાય એમ કહેવું તે વાત વિરુદ્ધ છે. ૭૬૧.
જેને પોતાને સાચી શ્રદ્ધા ને સાચું જ્ઞાન થયું હોય તેની ભભક છાની રહે નહિ. બીજા સમ્યગ્દર્શનાદિ ગુણોના ધારક જીવો પ્રત્યે તેને અત્યંત પ્રેમ થાય છે. ધર્માત્માને દેખીને અનુરાગ આવે છે, પોતાને ગુણની પ્રીતિ અને બહુમાન છે, તેથી બીજા જીવોમાં પણ ગુણો દેખતાં તેનું બહુમાન અને આદર આવે છે. બીજા કરતાં સમ્યગ્દર્શનાદિના ધારક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com