________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માગમસાર
૨૦૨] નવું અપૂર્વ સત્ય તેને સમજાશે નહિ. ૭૩૫.
પ્રશ્ન:- આપ જે વાત સમજાવો છો તે વાત તો બરાબર સાચી જ છે–પણ તેનાથી સમાજને શું લાભ થાય?
ઉત્તર:- જાઓ ભાઈ પહેલી વાત તો એ છે કે, પોતાને પોતાનું જોવાનું છે. સમાજનું ગમે તે થાય-તેની ચિંતા છોડીને પોતે પોતાનું સંભાળવું. મધદરિયે ડૂબકા ખાતો હોય ત્યારે સમાજની કે કુટુંબની ચિંતા કરવા નથી રોકાતો પણ હું દરિયામાં ડૂબતો કેમ બચું?–તે માટે જ ઉપાય કરે છે. તેમ સંસાર-સમુદ્રમાં રખડતા માંડ માંડ મનુષ્યભવ મળ્યો છે ત્યારે મારા આત્માનું હિત કેમ થાય, મારો આત્મા સંસાર-ભ્રમણથી કેમ છૂટે એ જ જોવાનું છે. પારકી ચિંતામાં રોકાય તો આત્મહિત ચુકાઈ જાય છે. આ વાત તો પોતાનું હિત કરવાની છે દરેક જીવ સ્વતંત્ર છે, તેથી સમાજના બીજા જીવોનું હિત થાય તો જ પોતાનું હિત થઈ શકે એવું કાંઈ પરાધીન-પણું નથી માટે હે જીવ! તું તારા હિતનો ઉપાય કર. ૭૩૬.
સર્વજ્ઞ પરમેશ્વરની વાણીમાં વસ્તુસ્વરૂપની એવી પરિપૂર્ણતાની જાહેરાત કરી છે કે દરેક આત્મા પોતાના સ્વભાવથી પૂરો પરમેશ્વર છે, તેને કોઈ બીજાની અપેક્ષા નથી તેમ જ, દરેક જડ પરમાણુ પણ તેના સ્વભાવથી પરિપૂર્ણ-જડેશ્વર ભગવાન–છે. આ રીતે ચેતન ને જડ દરેક પદાર્થ સ્વતંત્ર અને પોતાથી જ પરિપૂર્ણ છે, કોઈ તત્ત્વ કોઈ બીજા આશ્રય માંગતું નથી. આમ સમજીને પોતાના પરિપૂર્ણ આત્માની શ્રદ્ધા અને આશ્રય કરવો ને પરનો આશ્રય છોડવો તે પરમેશ્વર થવાનો પંથ છે. ૭૩૭.
આ આત્મસ્વભાવની વાત ઝીણી પડે તો વધુ ધ્યાન રાખીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com