SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦] ગમસાર જ્યાં ચિત્તનો સંગ સર્વથા છૂટી જાય તેને સ્વભાવની પૂર્ણતા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. મનના સંગના વિલયથી પરમાત્મા સાધ્ય છે. અંતર્જલ્પ-વિકલ્પનું છૂટી જવું તે સાધકદશા છે ને પરમાત્મદશા સાધ્ય છે. ૬૯૦. એક વસ્ત્રનો તાણો પણ રાખવાનો ભાવ છે. ત્યાં સુધી મુનિપણાનો ભાવ આવી શકે નહિ. મુનિપણું આવે ને વસ્ત્ર રાખવાનો ભાવ આવે એમ બને નહિ. ૬૯૧. આત્માની ને બીજા તત્ત્વોની વિપરીત દષ્ટિ તે ( સંસાર) ની સાધક છે. રાગ તે રાગ છે. સ્વભાવ તે સ્વભાવ છે. નિમિત્ત તે નિમિત્ત છે. એમ સ્વતંત્ર તત્ત્વોની રુચિ કરતો નથી ને પુણ્યથી ધર્મ માને તે મિથ્યાદષ્ટિ છે, તેનું ફળ સંસારમાં રખડવું તે છે. ૬૯૨. પૂર્ણ ભાવો પ્રગટ થયા પછી કેવળજ્ઞાન ને કેવળ દર્શન ક્રમે ઉપયોગરૂપ હોય એમ બને નહિ. જે જીવ કેવળજ્ઞાન ને કેવળ દર્શનનો ક્રમે ઉપયોગ માને છે તેને સમ્યક ભાવ પ્રગટયો નથી. ૬૯૩. ગુણોને આવરણ નથી વળી તેનામાં ઊણપ નથી તેવી દરેક ગુણની શક્તિ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તા, કર્મ, કરણ આદિ ગુણોનું સામર્થ્ય એવું છે કે તેને આવરણ ન હોય ને અધૂરા ન હોય-એમ નક્કી કરે તો ગુણની જાતિ નક્કી કરી કહેવાય. આવી તાકાત દરેક ગુણની છે. આવો સમ્યફભાવ સાધક છે. તે વસ્તુની જાતિ સિદ્ધ થવી તે સાધ્ય છે. ૬૯૪. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008276
Book TitleParmagam sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy