________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
[ પરમાગમસાર
ચારિત્રમાં ચૈતન્યની વિશેષ રમણતારૂપ પરિણમન છે.
એ રીતે અંતરના ચૈતન્યના આશ્રયે જ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર છે. ને તે જ મુક્તિનું કારણ છે. ૬૭૫.
*
ધર્મનું સાધન બતાવે છે. સાધન નામનો આત્મામાં ગુણ છે તે ન હોત તો સ્વરૂપ પરિણમન સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી પરિણમન ન થાત. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના સાધન વડે મોક્ષ દશા થાય છે. એવો ત્રિકાળ સાધન નામનો ગુણ છે. ચોથો કાળ મજબૂત સંહનન વગેરેને અજ્ઞાની જીવો કેવળજ્ઞાનનું સાધન કહે છે. પણ તે સાધન નથી. કરણ નામનો ગુણ પરિણમીને સાધન થાય છે. સાધકદશામાં દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેના શુભરાગને ઉપચારથી સાધન કહેવાય છે. પણ જો કરણ નામનો ગુણ આત્મામાં ન હોત તો આત્માના સ્વરૂપનું સાધન ન થાત, તે ગુણ છે તો વીતરાગી દશારૂપે તે પરિણમી રહ્યો છે. નિમિત્તો બાહ્યમાં હોવા છતાં ને શુભરાગ હોવા છતાં આ કરણ ન હોત તો વીતરાગી દશા ન થાત. તે સાધન દ્રવ્યમાં ત્રિકાળ પડયું છે. નિમિત્તમાં કે રાગમાં સાધન નથી. ૬૭૬.
*
આત્માની જેમ દરેક દ્રવ્યમાં છ કારકો સ્વતંત્ર રહેલા છે. અહીં આત્માની વાત ચાલે છે. જો રાગના આધારે ધર્મ હોય તો રાગ ટળી જતાં ધર્મનો પણ અભાવ થઈ જાય. મનુષ્ય દેહ અથવા મજબૂત સંહનનનો આધાર હોય તો તે ખસી જતાં નિર્મળતા રહેત નહીં. પણ એમ નથી. શાસ્ત્રમાં કથન આવે કે જિનમંદિરો હોય, મુનિઓ વિચરતા હોય તો ધર્મની પ્રભાવના થાય. એ નિમિત્તથી કથન છે. શુભ વિકલ્પ આવે પણ તેના આધારે કે મંદિરોના આધારે ધર્મ પ્રગટતો નથી. પણ અધિકરણ ગુણના આધારે ધર્મ પ્રગટે છે, ટકે છે ને વધે છે. જો રાગ અને પુણ્યને લીધે ધર્મ હોય ને શાસ્ત્રથી ધર્મ હોય તો તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com