________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
ગમસાર - સિદ્ધ ભગવાનમાં જેવી સર્વજ્ઞતા, જેવી પ્રભુતા, જેવો અતીન્દ્રિય આનંદ, અને જેવું આત્મવીર્ય છે તેવી જ સર્વજ્ઞતા, પ્રભુતા, આનંદ અને વીર્યની તાકાત તારા આત્મામાં પણ ભરી જ છે.
ભાઈ એકવાર હુરખ તો લાવ કે અહો! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે. જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે. મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. અરેરે! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો. હવે મારું શું થશે ! એમ ડર નહિ. મૂંઝા નહીં, હતાશ થા નહીં... એકવાર સ્વભાવનો ઉત્સાહ લાવ... સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઊછાળ. પ૯૩.
હે જીવ! જેમાં તારી રુચિ હશે તે પ્રમાણે ગતિ થશે, કેમ કે ભવિષ્યમાં પણ અનંતકાળ તારે રહેવાનું તો છે જ, તો દેહ છૂટીને ક્યાં રહીશ?-કે જેવી તારી રુચિ હશે, જેવી તારી મતિ હશે, તેવી ગતિ પામશે. જો તારી મતિ રાગ અને પરમાં હશે અને ચૈતન્યસ્વરૂપમાં નહીં હોય તો મરીને તને સંસારમાં રખડવાનું પ્રાપ્ત થશે. માટે હે જીવ! તારી મતિ રાગ અને પરમાં ન લગાવ. ૫૯૪.
સાધુનું ભાવચિન્હ તો આનંદનું ઉગ્રવદન હોય છે. નગ્નપણું ને પાંચ મહાવ્રત એ તો દ્રવ્યલિંગ છે. પ૯૫.
ભાઈ ! તને ખબર નથી, તારી ચીજ તો અંદર અભેદ ધ્રુવ ધ્રુવ ધ્રુવ... સામાન્ય એકરૂપ ચાલી આવે છે. ગમે તેટલી પર્યાયો આવે છે પણ વસ્તુ તો સામાન્ય એકરૂપ ચાલી આવે છે. એવી એકરૂપની દષ્ટિ કરતાં એનામાં ગુણ છે તેના ભેદનું પણ લક્ષ છૂટી જાય છે અને ભેદ અને ગુણની વિશેષતાનું લક્ષ છૂટતાં અભેદ ઉપર દષ્ટિ પડતાં તને આનંદનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com