________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮]
ગમસાર વીતરાગ સ્વભાવી ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરવો અને પરનો આશ્રય છોડવો. આ ટૂંકામાં ટૂંકું છે. પ૬ર.
પ્રશ્ન:- ઉપશમ સમ્યક થઈને છૂટી જાય ને મિથ્યાત્વમાં આવી જાય તેને ખ્યાલમાં આવે કે મને સમ્યફ થયું હતું?
ઉત્તર:- હા, સમ્યક છૂટી જાય પછી થોડો વખત ખ્યાલમાં રહે પછી લાંબો વખત થાય તો ભૂલી જાય. પ૬૩.
પ્રશ્નઃ- સ્વદ્રવ્ય આદરણીય છે તેમ તેની ભાવનારૂપ નિર્મળ પર્યાય આદરણીય કહેવાય?
| ઉત્તર:- હા, રાગ ય છે તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને આદરણીય કહેવાય અને દ્રવ્યની અપેક્ષાએ પર્યાય તે વ્યવહાર છે તે આશ્રય યોગ્ય ન હોવાથી હેય કહેવાય. ક્ષાયિક પર્યાય દ્રવ્યની અપેક્ષાએ હેય કહેવાય પણ રાગની અપેક્ષાએ ક્ષાયિક ભાવને આદરણીય કહેવાય. પ૬૪.
પ્રશ્ન- ધ્રુવની કિંમત વધુ કે આનંદના અનુભવની ?
ઉત્તર:- ધ્રુવની કિંમત વધુ છે. આનંદની પર્યાય તો એક સમયની છે ને ધ્રુવમાં તો આનંદનો ઢગલો ભર્યો છે. પ૬પ.
પ્રશ્નઃએક આત્માની જ સન્મુખ થવાનું છે તો એને માટે આટલા બધા શાસ્ત્રોની રચના આચાર્યદવે કેમ કરી?
ઉત્તર:- એની ભૂલો એટલી બધી છે એ બતાવવા માટે આટલા બધા શાસ્ત્રોની રચના થઈ છે, કરી નથી, પુદ્ગલથી થઈ છે. પ૬૬
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com