________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬]
[ પરમાગમસાર તો અનંતવાર શુભ કરીને નવમી રૈવેયક ગયો પણ એક ભવ ઘટયો નહિ. પ૧૯.
પ્રશ્ન:- આત્માને ઓળખ્યો ન હોય ને શુભ રાગને ઝેર કહેવાથી સ્વછંદી ન થઈ જાય?
ઉત્તર:- અજ્ઞાની સ્વછંદી જ છે. મિથ્યાત્વ છે તે જ મોટું પાપ ને સ્વછંદ છે. શુભરાગને ઝેર કહીને શુભરાગની રુચિ છોડાવવી છે. શુભરાગ પહેલાં છૂટતો નથી, શુભની રુચિ પહેલાં છૂટે છે. શુભરાગને ઝેર કહીને તેની રુચિ છોડાવવી છે. પ૨૦.
... આ તો સનાતન સ્યાદ્વાદ જૈન દર્શન છે, એને જેમ છે તેમ સમજવું જોઈએ. ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હેય કહે છે પણ બીજી બાજુ શુભરાગ આવે છે, હોય છે, એના નિમિત્તો દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો શુભરાગ હોય છે. ભગવાનની પ્રતિમા હોય છે, એને ન માને તોપણ મિથ્યાષ્ટિ છે. ભલે તેનાથી ધર્મ નથી પણ તેને ઉથાપે તો મિથ્યાષ્ટિ છે. શુભરાગ હેય છે, દુઃખરૂપ છે પણ એ ભાવ હોય છે, તેના નિમિત્તો ભગવાનની પ્રતિમા
આદિ હોય છે. તેનો નિષેધ કરે તો તે જૈન દર્શનને સમજ્યો નથી તેથી મિથ્યાષ્ટિ છે. પ૨૧.
પ્રશ્ન:- ધારણાશાનમાં યથાર્થ જાણે તો સમ્યક સન્મુખતા કહેવાય?
ઉત્તર:- ધારણાજ્ઞાનમાં દઢ સંસ્કાર અપૂર્વ રીતે પાડે, પૂર્વે કદી નહિ કરેલ એવા અપૂર્વ રીતે સંસ્કાર પાડ્યા હેય તો સમ્યફ સન્મુખતા કહેવાય. પરર.
પ્રશ્ન:- સંસારનો થાક લાગવાનો ઉપાય શું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com