________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦]
ગમસાર સત્ સ્વરૂપ એવા આત્માનો પરિચય રાખજે. જેવો જેનો પરિચય એવી જ એની પરિણતિ થશે. રાગના રસીલા જગતના જીવોનો પરિચય કરીશ તો તારી પરિણતિ પડી જશે. જેને શરીર આદિનો પ્રેમ છે. જેને પુણ્યનો પ્રેમ છે એવા લૌકિકજનોનો પરિચય કરીશ તો તારી પરિણતિ પડી જશે. લોકો માન સન્માન આપે એના પરિચયથી તું મરી જઈશ. ૪૬૮.
મુમુક્ષુજીવ શુભરાગમાં જોડાય છે પણ મુમુક્ષુતામાં શુદ્ધાત્માની શોધક વૃત્તિ ન જાય. મુમુક્ષુ જીવને દયા-દાન-પૂજા-ભક્તિ આદિના શુભભાવો આવે ખરા પણ એની વૃત્તિ અને વલણ શુદ્ધાત્મા તરફ રહ્યા કરે છે. શુભભાવમાં તલ્લીનતા ન થાય. જિન સ્વરૂપી ભગવાન આત્માની શોધક વૃત્તિ ન જાય.
શુદ્ધાત્માનું ધ્યેય છોડીને શુભરાગનો આગ્રહ કરતો નથી. શુભરાગથી લાભ થશે એમ માનતો નથી અને પર્યાયની અશુદ્ધતા પણ ભૂલતો નથી. સ્વછંદ કરતો નથી. ૪૬૯
પ્રશ્ન:- સ્વછંદ એટલે શું?
ઉત્તર:- વિકારી પર્યાય તે મારી નથી એમ માની વિકારનું સેવન કરે. અશુદ્ધતા ગમે તેટલી થાય તેનું સેવન કરે અને જ્ઞાનીનો ભોગ નિર્જરા કહ્યો છે તો અમારે ભોગના ભાવ વિષય-વાસનાના ભાવથી નિર્જરા છે તેમ માને તે સ્વછંદ છે. ગમે તેટલો વિકાર થાય તોપણ મારે શું? એમ માને તે સ્વછંદ છે. ખરો મુમુક્ષુ એમ સ્વછંદતા સેવતો નથી. પર્યાયમાં વિકાર થાય તે પોતાનો અપરાધ સમજે છે. જ્ઞાનમાં બરાબર જાણે છે. પાપમાં બેદરકાર રહેતો નથી. મુમુક્ષુનું હૃદય ભીંજાયેલું હોય છે, વૈરાગ્ય હોય છે. ૪૭૦.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com