________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪]
[ પરમાગમસાર જાણવામાં આવતો નથી. સૂક્ષ્મ એવો આત્માને જાણવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે છે. ૪૪૯.
એકાન્ત દુ:ખના જોરથી રાગથી છૂટો પડી શકે એમ બનતું નથી પણ દ્રવ્યદષ્ટિના જોરથી રાગથી છૂટો પડી શકે છે. આત્માને ઓળખ્યા વિનાજાણ્યા વિના જાય કયાં? આત્માને જાણ્યો હોય તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય તો રાગથી છૂટો પડીને આત્મામાં લીન થઈ શકે છે. ૪૫૦.
પ્રશ્ન - નિર્મળ પર્યાયને તો અંતર્લીન કહી છે ને?
ઉત્તર- એ તો સ્વ સન્મુખ વળી છે તેથી તે પર્યાયને અંતર્લીન કહ્યું છે પણ તેથી કાંઈ પર્યાય ધ્રુવમાં ભળી જતી નથી. ધ્રુવના આશ્રયે દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ પછી ચારિત્રની શુદ્ધિ પણ પર્યાયના આશ્રયે થતી નથી. ત્રિકાળી અંત:તત્ત્વ જે ધ્રુવ તળ-દળ છે તેના આશ્રયે જ ચારિત્રની શુદ્ધિ થાય છે. આ વસ્તુની સ્થિતિ છે, ભગવાનના વચનો છે. આ ઉપદેશ ભેદજ્ઞાનની પરાકાષ્ઠાનો છે. પ્રભુ! નિર્મળ પર્યાય બહિર્તત્ત્વ છે. તે નિર્મળ પર્યાયના આશ્રયે ટકે નહિ, વધે નહિ, પણ અંત:તત્ત્વ જે ધ્રુવતત્ત્વ છે. તેના જ આશ્રયે પ્રગટે છે, ટકે છે ને વધે છે. દયા-દાન આદિના શુભ પરિણામ એ તો મલિન બહિતત્ત્વ છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ તે નિર્મળ બહિર્તત્ત્વ છે. દ્રવ્યદૃષ્ટિ તો એક શુદ્ધ અંત:તત્ત્વને જ અવલંબે છે. ૪૫૧.
જ્ઞાયક-ધ્રુવ શુદ્ધ તેનું જ્ઞાન કરીને, તેની પ્રતીતિ કરીને, તેની રમણતા કરીને એક આત્મારામ થઈને શું અનુભવ કરે છે તે કહે છે. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જાણીને, પ્રતીતિ કરીને, સ્વરૂપાચરણ કરીને એમ અનુભવે છે કે હું તો ચૈતન્યમાત્ર જ્યોતિ છું. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ હું છું. ચૈતન્ય જાનન–દેખન માત્ર જ્યોતિ છું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com