________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
[ પરમાગમસાર જેને આત્મા પોષાય છે તેનાથી આત્મા ગુપ્ત રહેતો નથી. પૂરણ સ્વરૂપ ભગવાન આત્મા જેને રુચિમાં પોષાય છે અને બીજું પોષાતું નથી તેને આત્મા પ્રગટ થયા વિના રહેતો નથી. ૪૪૩.
શુભરાગ પણ જેને પોષાતો નથી ને આત્મા પોષાય છે તેને આત્મા પ્રગટ થયા વિના રહેતો નથી. ૪૪૪.
પ્રશ્ન:- ધ્રુવમાં એકાગ્રતા કરવા ધ્રુવને ક્યાં શોધવો?
ઉત્તર:- એ પોતે જ ધૃવસ્વરૂપ વસ્તુ છે. વસ્તુ છે જ એને ક્યાં શોધવા જવું છે? એક સમયની પર્યાય છે એ કોના આધારે છે? વસ્તુ છે, છે ને છે. એક સમયની પર્યાયમાં પહેલાં ધ્રુવ વસ્તુનું મહાભ્ય આવવું જોઇએ. સર્વજ્ઞ જેના ગુણગાન કર્યા છે એવી અનંત અપાર અપાર મહિમાવાળી ચીજ આત્મા છે કોણ? –કે જેના સામર્થ્યનો પાર નથી, જેની આશ્ચર્યતાનો, અદભુતતાનો પાર નથી, જેની શક્તિઓનો પાર નથી એવી મહિમાવાળી વસ્તુનો જ્ઞાન પર્યાયમાં નિર્ણય કરતાં એ ધ્રુવ વસ્તુનો મહિમા આવે છે. એ મહિમા આવતાં આવતાં જેવું સ્વરૂપ છે એવો મહિમા આવતાં પર્યાય ધ્રુવમાં ઢળી જાય છે. આહાહા ! અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ છે. એના દરેક ગુણો મુક્ત સ્વરૂપ છે, વીતરાગ સ્વરૂપ છે. એનું જ્ઞાન થઈને પ્રતીત થઈ એટલે બસ! ખલાસ થઈ ગયું! મુક્તિ પ્રતીતમાં આવી એટલે હાથમાં આવી ગઈ. ૪૪પ.
પ્રશ્ન:- આત્માનો સાક્ષાત્કાર કરવો છે પણ કેમ કરવો? તે પુરુષાર્થ ઉપડતો નથી.
ઉત્તર:- ચૈતન્યસ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે એમ અંદરથી મહિમા આવે તો સ્વ તરફ પુરુષાર્થ ઉપડે. ખરેખર તો જે પર્યાય પરલક્ષી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com