________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૯૯ ન થઈ શકે, હમણાં ન થઈ શકે-એમ માનનારા કાયરનું આ કામ નથી. પછી કરીશ. કાલે કરીશ-એવા વાયદા કરનારનું આ કામ નથી. હમણાં કરીશ, આજે જ કરીશ-એવા વીરોનું આ કામ છે. આત્મા આનંદસ્વરૂપ છે. તેની સામું જોવે તેને કાળ-આરો શું નડે?-શું કરે? ૩૬૯.
પ્રશ્ન:- આત્મવસ્તુ અવ્યક્ત છે તો કેમ જણાય ?
ઉત્તર:- વર્તમાન વર્તતી પર્યાય વ્યક્ત છે–પ્રગટ છે. તે પર્યાય કયાંથી આવે છે? કોઇ વસ્તુ છે તેમાંથી આવે છે કે અદ્ધરથી આવે છે? તરંગ છે તે પાણીમાંથી આવે છે કે અદ્ધરથી આવે છે? તેમ પર્યાય છે તે અદ્ધરથી આવતી નથી પણ અંદર વસ્તુ અવ્યક્ત-શક્તિરૂપ છે તેમાંથી આવે છે. વ્યક્ત પર્યાય અવ્યક્ત આત્મશક્તિને પ્રસિદ્ધ કરે છે–બતાવે છે. ૩૭).
પ્રશ્નઃ- વર્તમાન કર્મબંધન છે, હીણીદશા છે, રાગાદિ ભાવો વર્તે છે, તો શુદ્ધ આત્માની અનુભૂતિ કેમ થઈ શકે ?
ઉત્તર:- રાગાદિ ભાવો વર્તમાન વર્તતા હોવા છતાં તે બધા ભાવો ક્ષણિક છે, વિનાશિક છે, અભૂતાર્થ છે, જૂઠા છે. તેથી તેનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્માનું લક્ષ કરતાં આત્માની અનુભૂતિ થઈ શકે છે. રાગાદિ ભાવો એક સમયની સ્થિતિવાળા છે ને ભગવાન આત્મા કાયમ ટકનાર અબદ્ધપૃષ્ણસ્વરૂપ છે. તેથી એક સમયની ક્ષણિક પર્યાયનું લક્ષ છોડી ત્રિકાળી શુદ્ધાત્માનું લક્ષ કરતાં-દષ્ટિ કરતાં આત્માનુભૂતિ થઈ શકે છે. ૩૭૧.
પ્રશ્ન:- ગુસ્વાણીથી આત્મવસ્તુનો સ્વીકાર કરીએ છીએ છતાં અનુભવ થવામાં શું બાકી રહી જાય છે?
ઉત્તર:- ગુરુવાણીથી સ્વીકાર કરવો કે વિકલ્પથી સ્વીકાર કરવો તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com