________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૮૯
પરમાગમસાર] ખ્યાલમાં લે તો એનું મહાભ્ય આવે ને રાગનું ને અલ્પજ્ઞતાનું મહાભ્ય છૂટી જાય. એક સમયની કેવળજ્ઞાનની પર્યાય ત્રણકાળ ત્રણલોકને જાણવાના સામર્થ્યવાળી છે તે પણ ક્ષણે ક્ષણે નવી નવી થાય છે તો તેને ધરનાર ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય કેટલું? એમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર ત્યે તો આત્માનો મહિમા આવે. ૩૩૭.
અહો! આ મનુષ્યપણામાં આવા પરમાત્મસ્વરૂપનો માર્ગ સેવવો, આદર કરવો એ જીવનની કોઈ ધન્ય પળ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાયક જ છે. એ એને ભાવમાં આવે. ગમે તેવા પ્રસંગમાં પણ હું જ્ઞાયક છું....જ્ઞાયક છું એમ ભાવમાં આવે. જ્ઞાયકનું લક્ષ રહે તો તે તરફ ઢળ્યા જ કરે. ૩૩૮.
પ્રશ્ન – આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું?
ઉત્તર:- આખો દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો. અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. ૩૩૯.
વ્યવહારનય જૂઠા અર્થને બતાવનારો હોવાથી અભૂતાર્થ છે. ત્રિકાળી જ્ઞાયકભાવ કે જે સમ્યગ્દર્શનનો વિષય છે તે અભેદમાં ભેદ નથી છતાં તેને (ભેદને) વ્યવહારનય બતાવે છે. તેથી તેને જઠો કહેવામાં આવે છે. વ્યવહારનય ત્રિકાળી જ્ઞાયકભાવને છોડીને જ્ઞાયકભાવમાં નથી એવા ભેદને, પર્યાયને આદિને પ્રગટ કરે છે માટે અભૂતાર્થ છે. પર્યાયને ગૌણ કરી વ્યવહાર કહીને જૂઠો કહેવામાં આવ્યો છે. ૩૪૦.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com