________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર णो खलु सहावठाणा णो माणवमाणभावठाणा वा। णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा॥३९॥
न खलु स्वभावस्थानानि न मानापमानभावस्थानानि वा।
न हर्षभावस्थानानि न जीवस्याहर्षस्थानानि वा॥३९॥ निर्विकल्पतत्त्वस्वरूपाख्यानमेतत् ।
त्रिकालनिरुपाधिस्वरूपस्य शुद्धजीवास्तिकायस्य न खलु विभावस्वभावस्थानानि। प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाभावान्न च मानापमानहेतुभूतकर्मोदयस्थानानि। न खलु शुभपरिणतेरभावाच्छुभकर्म, शुभकर्माभावान्न संसारसुखं, संसारसुखस्याभावान्न हर्षस्थानानि। न चाशुभपरिणतेरभावादशुभकर्म, अशुभकर्माभावान्न दुःखं, दुःखाभावान्न चाहर्षस्थानानि વેતિા .
જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં,
જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯. અન્વયાર્થ –[ળીવય] જીવને [ઘ] ખરેખર [સ્વભાવસ્થાનાનિ] સ્વભાવસ્થાનો (-વિભાવસ્વભાવનાં સ્થાનો) નથી, [ન માનાપમાનમાવસ્થાનાનિ વા] માનાપમાનભાવનાં સ્થાનો નથી, [ન રમાવસ્થાનાનિ] હર્ષભાવનાં સ્થાનો નથી [વા] કે [ન સહર્ષસ્થાનાનિ] અહર્ષનાં સ્થાનો નથી.
ટીકા –આ, નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે.
ત્રિકાળનિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવસ્થાનો (-વિભાવરૂપ સ્વભાવનાં સ્થાનો) નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહરાગદ્વેષનો અભાવ હોવાથી માન-અપમાનના હેતુભૂત કર્મોદયનાં સ્થાનો નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, શુભ કર્મનો અભાવ હોવાથી સંસારસુખ નથી, સંસારસુખનો અભાવ હોવાથી હર્ષસ્થાનો નથી; વળી (શુદ્ધ જીવાસ્તિકાયને) અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી, દુઃખનો અભાવ હોવાથી અહર્ષસ્થાનો નથી.
[હવે ૩૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]