________________
નિયમસાર
व्यवहारकालस्वरूपविविधविकल्पकथनमिदम् ।
एकस्मिन्नभः प्रदेशे यः परमाणुस्तिष्ठति तमन्यः परमाणुर्मन्दचलनाल्लंघयति स समयो व्यवहारकालः । तादृशैरसंख्यातसमयैः निमिषः, अथवा नयनपुटघटनायत्तो નિમેષઃ। નિમેષાઃ હાદા ષોડશમઃ શામિઃ તા। દ્વાત્રિંશનામિટિવ્ઝા षष्टिनालिकमहोरात्रम् । त्रिंशदहोरात्रैर्मासः । द्वाभ्याम् मासाभ्याम् ऋतुः । ઋતુभिस्त्रिभिरयनम्। अयनद्वयेन संवत्सरः । इत्यावल्यादिव्यवहारकालक्रमः । इत्थं समया - वलिभेदेन द्विधा भवति, अतीतानागतवर्तमानभेदात् त्रिधा वा । अतीतकालप्रपंचो - ऽयमुच्यते - अतीतसिद्धानां सिद्धपर्यायप्रादुर्भावसमयात् पुरागतो ह्यावल्यादिव्यवहारकालः स कालस्यैषां संसारावस्थायां यानि संस्थानानि गतानि तैः सदृशत्वादनन्तः । अनागतकालोऽप्यनागतसिद्धानामनागतशरीराणि यानि तैः सदृश इत्यामुक्तेः मुक्तेः
૬૪ ]
[ભગવાનશ્રીકુંદકુંદ
ટીકા :—આ, વ્યવહારકાળના સ્વરૂપનું અને તેના વિવિધ ભેદોનું કથન છે.
એક આકાશપ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો પરમાણુ મંદ ગતિથી ઓળંગે તેટલો કાળ તે સમયરૂપ વ્યવહારકાળ છે. એવા અસંખ્ય સમયોનો નિમેષ થાય છે, અથવા આંખવિંચાય તેટલો કાળ તે નિમેષ છે. આઠનિમેષની કાષ્ઠા થાય છે. સોળકાષ્ઠાની કળા, બત્રીશ કળાની ઘડી, સાઠ ઘડીનું અહોરાત્ર, ત્રીશ અહોરાત્રનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનું અયન અને બે અયનનું વર્ષ થાય છે. આમ આવલિ આદિ વ્યવહારકાળનો ક્રમ છે. આપ્રમાણે વ્યવહારકાળસમય અને આવલિનાભેદથીબેપ્રકારેછેઅથવાઅતીત,અનાગત અને વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારે છે.
આ (નીચે પ્રમાણે), અતીત કાળનો વિસ્તાર કહેવામાં આવે છે : અતીત સિદ્ધોને સિદ્ધપર્યાયના પ્રાદુર્ભાવસમયથી પહેલાં વીતેલો જે આવલિ આદિ વ્યવહારકાળ તે, તેમને સંસારઅવસ્થામાં જેટલાં સંસ્થાનો વીતી ગયાં તેમના જેટલો હોવાથી અનંતછે. (અનાગત સિદ્ધોને મુક્તિ થતાં સુધીનો) અનાગતકાળ પણ અનાગતસિદ્ધોનાં જે મુક્તિપર્યંત અનાગત
૧. પ્રાદુર્ભાવ = પ્રગટ થવું તે; ઉત્પન્ન થવું તે.
૨.
સિદ્ધભગવાનને અનંત શરીરો વીતી ગયાં; તે શરીરો કરતાં સંખ્યાતગુણી આવલિઓ વીતી ગઈ. માટે અતીત શરીરો પણ અનંત છે અને અતીત કાળ પણ અનંત છે. અતીત શરીરો કરતાં અતીત આવલિઓ સંખ્યાતગુણી હોવા છતાં બન્ને અનંત હોવાથી બન્નેને અનંતપણાની અપેક્ષાએ સરખાં કહ્યાં છે.