SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ नयद्वयबलेन शुद्धाशुद्धा इत्यर्थः। तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः (માનિની) "उभयनयविरोधध्वंसिनि स्यात्पदांके जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चै रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।" તથા દિ– (માનિની) अथ नययुगयुक्तिं लंघयन्तो न सन्तः परमजिनपदाब्जद्वन्द्वमत्तद्विरेफाः। सपदि समयसारं ते ध्रुवं प्राप्नुवन्ति क्षितिषु परमतोक्तेः किं फलं सज्जनानाम्॥३६॥ બળે શુદ્ધ તેમ જ અશુદ્ધ છે એવો અર્થ છે. એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ચોથા શ્લોક દ્વારા) કાવું છે કે : “શ્લિોકાર્થ :–] બન્ને યોના વિરોધને નષ્ટ કરનારા, સ્યાસ્પદથી અંકિત જિનવચનમાં જે પુરુષો રમે છે, તેઓ સ્વયમેવ મોહને વમી નાખીને, અનૂતન (અનાદિ) અને કુનયના પક્ષથી નહિ ખંડિત થતી એવી ઉત્તમ પરમજયોતિને–સમયસારને-શીધ્ર દેખે છે જ.'' વળી આ જીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) : [શ્લોકાર્થ –] જેઓ બે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા થકા પરમજિનના પાદપંકજયુગલમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે એવા જે પુરુષો તેઓ શીધ્ર સમયસારને અવશ્ય પામે છે. પૃથ્વી ઉપર પર મતના કથનથી સજજનોને શું ફળ છે (અર્થાત્ જગતના જૈનેતર દર્શનોનાં મિથ્યા કથનોથી સજજનોને શો લાભ છે)? ૩૬.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy