________________
શુદ્ધોપયોગ અધિકાર
मुत्तममुत्तं दव्वं चेयणमियरं सगं च सव्वं च । पेच्छंतस्स दु णाणं पच्चक्खमणिदियं होइ ॥ १६७॥
मूर्तममूर्तं द्रव्यं चेतनमितरत् स्वकं च सर्वं च । पश्यतस्तु ज्ञानं प्रत्यक्षमतीन्द्रियं મતિ।।૧૬।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
[ ૩૩૧
केवलबोधस्वरूपाख्यानमेतत् ।
षण्णां द्रव्याणां मध्ये मूर्तत्वं पुद्गलस्य पंचानाम् अमूर्तत्वम्; चेतनत्वं जीवस्यैव पंचानामचेतनत्वम् । मूर्तामूर्तचेतनाचेतनस्वद्रव्यादिकमशेषं त्रिकालविषयम् अनवरतं पश्यतो भगवतः श्रीमदर्हत्परमेश्वरस्य क्रमकरणव्यवधानापोढं चातीन्द्रियं च सकलविमलकेवलज्ञानं सकलप्रत्यक्षं भवतीति ।
तथा चोक्तं प्रवचनसारे
મૂર્તિકઅમૂર્તિક ચેતનાચેતન સ્વપર સૌ દ્રવ્યને
જે દેખતો તેને અતીદ્રિય જ્ઞાન છે, પ્રત્યક્ષ છે. ૧૬૭.
અન્વયાર્થઃ— મૂર્તમ મૂર્તમૂ] મૂર્ત અમૂર્ત [ચેતનમ્ રૂતરત્] ચેતનઅચેતન [i] દ્રવ્યોને—[સ્વ ચ સર્વ ] સ્વને તેમ જ સમસ્તને [પશ્યતઃ તુ] દેખનારનું (જાણનારનું) [જ્ઞાનમ્] શાન [ગતીન્દ્રિયં] અતીંદ્રિય છે, [પ્રત્યક્ષમ્ મવૃત્તિ] પ્રત્યક્ષ છે.
ટીકાઃ—આ, કેવળજ્ઞાનના સ્વરૂપનું કથન છે.
છ દ્રવ્યોમાં પુદ્ગલને મૂર્તપણું છે, (બાકીનાં) પાંચને અમૂર્તપણું છે; જીવને જ ચેતનપણું છે, (બાકીનાં) પાંચને અચેતનપણું છે. ત્રિકાળ સંબંધી મૂર્તઅમૂર્ત ચેતનઅચેતન સ્વદ્રવ્યાદિ અશેષને (સ્વ તેમ જ પર સમસ્ત દ્રવ્યોને) નિરંતર દેખનાર ભગવાન શ્રીમદ્ અર્હત્પરમેશ્વરનું જે ક્રમ, ઇન્દ્રિય અને *વ્યવધાન વિનાનું, અતીન્દ્રિય સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૫૪મી ગાથા દ્વારા) કહ્યડં છે કે : =
★ વ્યવધાનના અર્થ માટે ૨૬મા પાનાનું પદટિપ્પણ જુઓ.