________________
૨૭૨ ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ विपरीताभिनिवेशं परित्यज्य जैनकथिततत्त्वेषु ।
यो युनक्ति आत्मानं निजभावः स भवेद्योगः॥१३९॥ इह हि निखिलगुणधरगणधरदेवप्रभृतिजिनमुनिनाथकथिततत्त्वेषु विपरीताभिनिवेशविवर्जितात्मभाव एव निश्चयपरमयोग इत्युक्तः।
__ अपरसमयतीर्थनाथाभिहिते विपरीते पदार्थे ह्यभिनिवेशो दुराग्रह एव विपरीताभिनिवेशः। अमुं परित्यज्य जैनकथिततत्त्वानि निश्चयव्यवहारनयाभ्यां बोद्धव्यानि। सकलजिनस्य भगवतस्तीर्थाधिनाथस्य पादपद्मोपजीविनो जैनाः, परमार्थतो गणधरदेवादय इत्यर्थः। तैरभिहितानि निखिलजीवादितत्त्वानि तेषु यः परमजिनयोगीश्वरः स्वात्मानं युनक्ति, तस्य च निजभाव एव परमयोग इति।
અન્વયાર્થ:-[વિપરીતfમનિવેશ પરિત્ય] વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને [] જે નૈિનવથતતત્ત્વવું જૈનકથિત તત્ત્વોમાં [માત્માન] આત્માને યુિનgિ] જોડે છે, [નિનમાવ:] તેનો નિજ ભાવ [સઃ યોઃ ભવેત્] તે યોગ છે.
ટીકા –અહીં, સમસ્ત ગુણોના ધરનારા ગણધરદેવ વગેરે જિનમુનિનાથોએ કહેલાં તત્ત્વોમાં વિપરીત અભિનિવેશ રહિત આત્મભાવ તે જ નિશ્ચયપરમયોગ છે એમ કહ્યśછે.
અન્ય સમયના તીર્થનાથે કહેલા (-જૈન દર્શન સિવાય અન્ય દર્શનના તીર્થપ્રવર્તકે કહેલા) વિપરીત પદાર્થમાં અભિનિવેશ–દુરાગ્રહ તે જ વિપરીત અભિનિવેશ છે. તેનો પરિત્યાગ કરીને જૈનોએ કહેલાં તત્ત્વો નિશ્ચયવ્યવહારનયથી જાણવાયોગ્ય છે. સિકલજિન એવા ભગવાન તીર્થાધિનાથનાં ચરણકમળના ઉપજીવકો તે જૈનો છે; પરમાર્થે ગણધરદેવ વગેરે એવો તેનો અર્થ છે. તેમણે (-ગણધરદેવ વગેરે જૈનોએ) કહેલાં જે સમસ્ત જીવાદિ તત્ત્વો તેમાં જે પરમ જિનયોગીશ્વર નિજ આત્માને જોડે છે, તેનો નિજભાવ જ પરમ યોગ છે.
[હવે આ ૧૩૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
૧ દેહ સહિત હોવા છતાં તીર્થંકરદેવે રાગદ્વેષ અને અજ્ઞાનને સંપૂર્ણ રીતે જીત્યા છે તેથી તેઓ
સકલજિન છે. ૨ ઉપજીવક = સેવા કરનાર; સેવક; આશ્રિત; દાસ.