________________
કહાનજૈનશાસ્ત્રમાળા] પરમાર્થપ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૭ (રૂવગ્રા) निर्यापकाचार्यनिरुक्तियुक्तामुक्तिं सदाकर्ण्य च यस्य चित्तम्। समस्तचारित्रनिकेतनं स्यात् तस्मै नमः संयमधारिणेऽस्मै ॥१२५॥
(વસંતતિક્ષા) यस्य प्रतिक्रमणमेव सदा मुमुक्षोस्त्यिप्रतिक्रमणमप्यणुमात्रमुच्चैः। तस्मै नमः सकलसंयमभूषणाय
श्रीवीरनन्दिमुनिनामधराय नित्यम् ॥१२६॥ इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयप्रतिक्रमणाधिकारः पंचमः श्रुतस्कन्धः॥
[હવે આ પરમાર્થપ્રતિક્રમણ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બે શ્લોક કહે છે :
[શ્લોકાર્થ –] નિર્યાપક આચાર્યોની નિરુક્તિ (-વ્યાખ્યા) સહિત (પ્રતિક્રમણાદિ સંબંધી) કથન સદા સાંભળીને જેનું ચિત્ત સમસ્ત ચારિત્રનું નિકેતન (-ધામ) બને છે, તે આ સંયમધારીને નમસ્કાર હો. ૧૨૫.
[શ્લોકાર્થ –] મુમુક્ષુ એવા જેમને (-મોક્ષાર્થી એવા જે વીરનંદી મુનિને) સદા પ્રતિક્રમણ જ છે અને અણુમાત્રા પણ અપ્રતિક્રમણ બિલકુલ નથી, તે સકળસંયમરૂપીભૂષણના ધરનાર શ્રી વીરગંદી નામના મુનિને નિત્ય નમસ્કાર હો. ૧૨૬.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસારપરમાગમની નિગ્રંથમુનિરાજશ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિતતાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) નિશ્ચયપ્રતિક્રમણ અધિકાર નામનો પાંચમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
૨૩