________________
૧૬૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (માનિની) अथ निजपरमानन्दैकपीयूषसान्द्रं स्फुरितसहजबोधात्मानमात्मानमात्मा। निजशममयवाभिर्निर्भरानंदभक्त्या स्नपयतु बहुभिः किं लौकिकालापजालैः॥११३॥
मुक्त्वानाचारमुच्चैर्जननमृतकरं सर्वदोषप्रसंगं स्थित्वात्मन्यात्मनात्मा निरुपमसहजानंददृग्ज्ञप्तिशक्तौ । बाह्याचारप्रमुक्तः शमजलनिधिवार्बिन्दुसंदोहपूतः
सोऽयं पुण्यः पुराणः क्षपितमलकलिर्भाति लोकोद्घसाक्षी ॥११४॥ उम्मग्गं परिचत्ता जिणमग्गे जो दु कुणदि थिरभावं। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा॥८६॥
[શ્લોકાર્થ :–] આત્મા નિજ પરમાનંદરૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલા, સ્કુરિતસહજજ્ઞાનસ્વરૂપ આત્માને નિર્ભર (ભરચક) આનંદભક્તિપૂર્વક નિજ શમમય જળ વડે સ્નાન કરાવો; બહુ લૌકિક આલાપજાળોથી શું પ્રયોજન છે (અર્થાત્ બીજા અનેક લૌકિક કથનસમૂહોથી શું કાર્ય સરે એમ છે)? ૧૧૩.
[શ્લોકાર્થ :-] જે આત્મા જન્મમરણને કરનારા, સર્વ દોષોના પ્રસંગવાળા અનાચારને અત્યંત છોડીને, નિરુપમ સહજ આનંદદર્શનજ્ઞાનવીર્યવાળા આત્મામાં આત્માથી સ્થિત થઈને, બાહા આચારથી મુક્ત થયો થકો, શમરૂપી સમુદ્રના જલબિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે, તે આ પવિત્ર પુરાણ (-સનાતન) આત્મા મળરૂપી ક્લેશનો ક્ષય કરીને લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. ૧૧૪.
પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૬.
૧. સ્ફરિત = પ્રગટ. ૨. પ્રસંગ = સંગ; સહવાસ; સંબંધ, જોડાણ.