________________
કહાનજૈનશાસ્ત્રમાળા] પરમાર્થપ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૫ मुक्त्वा वचनरचनां रागादिभाववारणं कृत्वा।
आत्मानं यो ध्यायति तस्य तु भवतीति प्रतिक्रमणम् ॥८३॥ दैनं दैनं मुमुक्षुजनसंस्तूयमानवाङ्मयप्रतिक्रमणनामधेयसमस्तपापक्षयहेतुभूतसूत्रसमुदयनिरासोऽयम्।
यो हि परमतपश्चरणकारणसहजवैराग्यसुधासिन्धुनाथस्य राकानिशीथिनीनाथः अप्रशस्तवचनरचनापरिमुक्तोऽपि प्रतिक्रमणसूत्रविषमवचनरचनां मुक्त्वा संसारलतामूलकंदानां निखिलमोहरागद्वेषभावानां निवारणं कृत्वाऽखंडानंदमयं निजकारणपरमात्मानं ध्यायति, तस्य खलु परमतत्त्वश्रद्धानावबोधानुष्ठानाभिमुखस्य सकलवाग्विषयव्यापारविरहितनिश्चयप्रतिक्रमणं भवतीति।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
અન્વયાર્થ :–[વનના] વચનરચનાને [મુવત્તા] છોડીને, [રાદિમાવવારVi] રાગાદિભાવોનું નિવારણ [કત્વા] કરીને, [૧] જે [ગાત્માન] આત્માને [ધ્યાતિ] ધ્યાવે છે, [તી તો તેને [પ્રતિમi] પ્રતિક્રમણ [મવતિ તિ] હોય છે.
ટીકા :-દિને દિને મુમુક્ષુ જનો વડે ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ નામનો સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે (અર્થાત્ તેનું આમાં નિરાકરણ–ખંડન કર્યું છે).
પરમ તપશ્ચરણના કારણભૂત સહજવૈરાગ્યસુધાસાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે જીવ (-પરમ તપનું કારણ એવો જે સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવા માટે અર્થાત્ તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણ ચંદ્ર સમાન છે એવો જે જીવ) અપ્રશસ્ત વચનરચનાથી પરિમુક્ત (-સર્વ તરફથી છૂટેલો) હોવા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિષમ (વિવિધ) વચનરચનાને (પણ) છોડીને સંસારલતાનાં મૂળતંદભૂત સમસ્ત મોહરાગદ્વેષભાવોનું નિવારણ કરીને અખંડઆનંદમય નિજકારણપરમાત્માને ધ્યાવે છે, તે જીવને-કે જે ખરેખર પરમતત્ત્વનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનની સંમુખ છે તેને–વચનસંબંધી સર્વ વ્યાપાર વિનાનું નિશ્ચયપ્રતિક્રમણ હોય છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૨૪૪મા શ્લોક દ્વારા) કહયું છે કે –