________________
નિયમસાર
૧૦૮ ] तथा च
(માનિની) जयति सहजबोधस्तादृशी दृष्टिरेषा चरणमपि विशुद्धं तद्विधं चैव नित्यम् । अघकुलमलपंकानीकनिर्मुक्तमूर्तिः
सहजपरमतत्त्वे संस्थिता चेतना च॥७॥ इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धभावाधिकारः तृतीयः श्रुतस्कन्धः॥
વળી (આ શુદ્ધભાવ અધિકારની છેલ્લી પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) :
[શ્લોકાર્થ –]સહજ જ્ઞાન સદા જયવંત છે, તેવી (સહજ) આ દૃષ્ટિ સદા જયવંત છે, તેવું જ (સહજ) વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે; પાપસમૂહરૂપી મળની અથવા કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજપરમતત્ત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે. ૭૫.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) શુદ્ધભાવ અધિકાર નામનો ત્રીજો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.