________________
[ ૮૭
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
(માનિની) "सकलमपि विहायालाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ॥"
(ગગુરુમ) "चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्।
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी॥" તથા દિ
| (માનિની) अनवरतमखण्डज्ञानसद्भावनात्मा व्रजति न च विकल्पं संसृतेर्घोररूपम् । अतुलमनघमात्मा निर्विकल्पः समाधिः परपरिणतिदूरं याति चिन्मात्रमेषः॥६०॥
[શ્લોકાર્થ –] ચિન્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિન્શક્તિમાત્ર એવા નિજ આત્માનું અતિફુટપણે અવગાહન કરીને, આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ (એક) અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત્ અનુભવો.'
[શ્લોકાર્થ –]ચૈતન્યશક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વસારછે એવો આ જીવ એટલો જ માત્ર છે; આ ચિન્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પદ્ગલિક છે.'
વળી (૪૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે) –
[શ્લોકાર્થ –] સતતપણે અખંડ જ્ઞાનની સદ્ભાવનાવાળો આત્મા (અર્થાત્ “હું અખંડ જ્ઞાન છું' એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા) સંસારના ઘોર વિકલ્પને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પરપરિણતિથી દૂર, અનુપમ, અનઘ ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને) પામે છે. ૬૦.
૧. અનદ્ય = દોષ રહિત; નિષ્પાપ; મળ રહિત.