________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર
[ ૨૫
(માલિની) अथ सकलजिनोक्तज्ञानभेदं प्रबुवा परिहृतपरभावः स्वस्वरूपे स्थितो यः। सपदि विशति यत्तच्चिच्चमत्कारमात्रं स भवति परमश्रीकामिनीकामरूपः।। १७ ।।
केवलमिंदियरहियं असहायं तं सहावणाणं ति।
सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं।। ११ ।। [ ભાવાર્થ -ચૈતન્યાનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ બે પ્રકારનો છે : (૧) જ્ઞાનોપયોગ અને (૨) દર્શનોપયોગ. જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે : (૧) સ્વભાવજ્ઞાનોપયોગ અને (૨) વિભાવજ્ઞાનોપયોગ. સ્વભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે : (૧) કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળજ્ઞાનોપયોગ) અને (૨) કારણસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ *સહજજ્ઞાનોપયોગ). વિભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે : (૧) સમ્યક વિભાવજ્ઞાનોપયોગ અને (૨) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગ). સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગના ચાર ભેદો (સુમતિજ્ઞાનોપયોગ, સુશ્રુતજ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મન:પર્યયજ્ઞાનોપયોગ) હવેની બે ગાથાઓમાં કહેશે. મિથ્યા વિભાવજ્ઞાનોપયોગના અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગના ત્રણ ભેદો છે : (૧) કુમતિજ્ઞાનોપયોગ, (૨) કુશ્રુતજ્ઞાનોપયોગ અને (૩) વિર્ભાગજ્ઞાનોપયોગ અર્થાત્ કુઅવધિજ્ઞાનોપયોગ.]
[ હવે દસમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
નંદ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે-ઊંડો ઊતરી જાય છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭.
અસહાય, ઇંદ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે; સુજ્ઞાન ને અજ્ઞાન-એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧.
* સહજજ્ઞાનોપયોગ પરમ પરિણામિકભાવે સ્થિત છે તેમ જ ત્રણે કાળે ઉપાધિ રહિત છે;
તેમાંથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com