________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अत्रापि निरुपाधिस्वरूपलक्षणपरमात्मतत्त्वमुक्तम्।
अखिलदुरघवीरवैरिवरूथिनीसंभ्रमागोचरसहजज्ञानदुर्गनिलयत्वादव्याबाधम् , सर्वात्म-प्रदेशभरितचिदानन्दमयत्वादतीन्द्रियम्, त्रिषु तत्त्वेषु विशिष्टत्वादनौपम्यम् , संसृतिपुरंधिकासंभोगसंभवसुखदुःखाभावात्पुण्यपापनिर्मुक्तम् , पुनरागमनहेतुभूतप्रशस्ताप्रशस्तमोहरागद्वेषाभावात्पुनरागमनविरहितम्, नित्यमरणतद्भवमरणकारणकलेवरसंबन्धाभावान्नित्यम् , निजगुणपर्यायप्रच्यवनाभावादचलम् , परद्रव्यावलम्बनाभावादनालम्बमिति।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
રહિત, [ નિત્ય] નિત્ય, [ બાતમૂ ] અચળ અને [ સનાતંવર્] નિરાલંબ છે.
ટીકા:-અહીં પણ, નિપાધિ સ્વરૂપ જેનું લક્ષણ છે એવું પરમાત્મતત્ત્વ કહ્યું છે.
(પરમાત્મતત્ત્વ આવું છે:-) સમસ્ત દુષ્ટ અઘરૂપી વીર શત્રુઓની સેનાના ધાંધલને અગોચર એવા સહજજ્ઞાનરૂપી કિલ્લામાં રહેઠાણ હોવાને લીધે અવ્યાબાધ (નિર્વિગ્ન) છે; સર્વ આત્મપ્રદેશ ભરેલા ચિદાનંદમયપણાને લીધે અતીન્દ્રિય છે; ત્રણ તત્ત્વોમાં વિશિષ્ટ હોવાને લીધે (બહિરાત્મતત્ત્વ, અંતરાત્મતત્ત્વ અને પરમાત્મતત્ત્વ એ ત્રણેમાં વિશિષ્ટ-ખાસ પ્રકારનું-ઉત્તમ હોવાને લીધે ) અનુપમ છે; સંસારરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતાં સુખદુઃખનો અભાવ હોવાને લીધે પુણ્યપાપ વિનાનું છે; પુનરાગમનના હેતુભૂત પ્રશસ્ત-અપ્રશસ્ત મોહરાગદ્વેષનો અભાવ હોવાને લીધે પુનરાગમન રહિત છે; નિત્ય મરણના અને તે ભવ સંબંધી મરણના કારણભૂત કલેવરના (શરીરના) સંબંધનો અભાવ હોવાને લીધે નિત્ય છે; નિજ ગુણો અને પર્યાયોથી ચુત નહિ થતું હોવાને લીધે અચળ છે; પરદ્રવ્યના અવલંબનનો અભાવ હોવાને લીધે નિરાલંબ છે.
એવી રીતે (આચાર્યદવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૩૮ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
૧. અધ્યાત્મશાસ્ત્રોમાં ઘણાં સ્થળે પાપ તેમ જ પુણ્ય બન્નેને “અ” અથવા “પાપ” કહેવામાં
આવે છે. ૨. પુનરાગમન = (ચાર ગતિમાંની કોઈ ગતિમાં) પાછા આવવું તે; ફરીને જન્મવું તે. ૩. નિત્ય મરણ = સમયે સમયે થતો આયુકર્મના નિષકોનો ક્ષય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com