________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨]
નિયમસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
(માનિની) अभिनवमिदमुच्चैर्मोहनीयं मुनीनां त्रिभुवनभुवनान्तांतपुंजायमानम्। तृणगृहमपि मुक्त्वा तीव्रवैराग्यभावाद् वसतिमनुपमां तामस्मदीयां स्मरन्ति।। २४० ।।
(શાર્દૂત્રવિક્રીડિત) कोपि क्वापि मुनिर्बभूव सुकृती काले कलावप्यलं मिथ्यात्वादिकलंकपंकरहितः सद्धर्मरक्षामणिः । सोऽयं संप्रति भूतले दिवि पुनर्देवैश्च संपूज्यते मुक्तानेकपरिग्रहव्यतिकरः पापाटवीपावकः।। २४१ ।।
| ( શિરવરિજા) तपस्या लोकेस्मिन्निखिलसधियां प्राणदयिता नमस्या सा योग्या शतमखशतस्यापि सततम। परिप्राप्यैतां यः स्मरतिमिरसंसारजनितं सुखं रेमे कश्चिद्बत कलिहतोऽसौ जडमतिः।। २४२ ।।
[ હવે આ ૧૪૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ-ત્રિલોકરૂપી મકાનમાં રહેલા (મહા) તિમિરપુંજ જેવું મુનિઓનું આ (કોઈ ) નવું તીવ્ર મોહનીય છે કે (પહેલાં) તેઓ તીવ્ર વૈરાગ્ય-ભાવથી ઘાસના ઘરને પણ છોડીને (પછી) “અમારું તે અનુપમ ઘર!' એમ સ્મરણ કરે છે! ૨૪૦.
[ શ્લોકાર્થ-] કળિકાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદિરૂપ મળકાદવથી રહિત અને *સદ્ધર્મરક્ષામણિ એવો સમર્થ મુનિ થાય છે. જેણે અનેક પરિગ્રહોના વિસ્તારને છોડયો છે અને જે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે તે આ મુનિ આ કાળે ભૂતળમાં તેમ જ દેવલોકમાં દેવોથી પણ સારી રીતે પુજાય છે. ૨૪૧.
[શ્લોકાર્થ-] આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણપ્યારી છે; તે યોગ્ય
* સદ્ધર્મરક્ષામણિ = સદ્ધર્મની રક્ષા કરનારો મણિ. (રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ
વગેરેથી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણિ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com