________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૫૭
जो दु पुण्णं च पावं च भावं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।।१३० ।।
यस्तु पुण्यं च पापं च भावं वर्जयति नित्यशः। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १३० ।।
शुभाशुभपरिणामसमुपजनितसुकृतदुरितकर्मसंन्यासविधानाख्यानमेतत्।
बाह्याभ्यन्तरपरित्यागलक्षणलक्षितानां परमजिनयोगीश्वराणां चरणनलिनक्षालनसंवाहनादिवैयावृत्यकरणजनितशुभपरिणतिविशेषसमुपार्जितं पुण्यकर्म, हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहपरिणामसंजातमशुभकर्म, यः सहजवैराग्यप्रासादशिखरशिखामणि: संसृतिपुरंध्रिकाविलासविभ्रमजन्मभूमिस्थानं तत्कर्मद्वयमिति त्यजति, तस्य नित्यं केवलिमतसिद्धं सामायिकव्रतं भवतीति।
જે નિત્ય વર્જે પુણ્ય તેમ જ પાપ બને ભાવને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૦.
અન્વયાર્થ:– 1: 1] જે [પુષ્ય ૨] પુણ્ય તથા [TV ભાવ ] પાપરૂપ ભાવને [ નિત્યશ:] નિત્ય [ વર્નયતિ] વર્જે છે, [ તરસ્ય] તેને [ સામાયિ] સામાયિક [ સ્થા]િ સ્થાયી છે [ રૂતિ વવતિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ-આ, શુભાશુભ પરિણામથી ઊપજતાં સુકૃતદુષ્કૃતરૂપ કર્મના સંન્યાસની વિધિનું (-શુભાશુભ કર્મના ત્યાગની રીતનું) કથન છે.
બાહ્ય-અત્યંતર પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત પરમજિનયોગીશ્વરોનું ચરણકમળપ્રક્ષાલન, ચરણકમળસંવાહન વગેરે વૈયાવૃત્ય કરવાથી ઊપજતી શુભ પરિણતિ-વિશેષથી ( વિશિષ્ટ શુભ પરિણતિથી) ઉપાર્જિત પુણ્યકર્મને તથા હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ ને પરિગ્રહના પરિણામથી ઊપજતા અશુભકર્મને, તે બન્ને કર્મ સંસારરૂપી સ્ત્રીના વિલાસવિભ્રમનું જન્મભૂમિસ્થાન હોવાથી, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ (જે પરમ સહજ વૈરાગ્યવંત મુનિ) તજે છે, તેને નિત્ય કેવળીમતસિદ્ધ (કેવળીઓના મતમાં નક્કી થયેલું ) સામાયિકવ્રત છે.
૧ ચરણકમળસંવાહન = પગ દાબવા તે; પગચંપી કરવી તે. ૨ વિલાસવિભ્રમ = વિલાસયુક્ત હાવભાવ; ક્રીડા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com