________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
भव्यस्य पारिणामिकभावस्वभावेन परमस्वभावः औदयिकादिचतुर्णां विभावस्वभावानामगोचर: स पंचमभावः। अत एवोदयोदीरणक्षयक्षयोपशमविविधविकारविवर्जितः। अतः कारणादस्यैकस्य परमत्वम्, इतरेषां चतुर्णां विभावानामपरमत्वम्। निखिलकर्मविषवृक्षमूलनिर्मूलनसमर्थः त्रिकालनिरावरणनिजकारणपरमात्मस्वरूपश्रद्धानप्रतिपक्षतीव्रमिथ्यात्वकर्मोदयबलेन कुदृष्टेरयं परमभावः सदा निश्चयतो विद्यमानोऽप्यविद्यमान एव। नित्यनिगोदक्षेत्रज्ञानामपि शुद्धनिश्चयनयेन स परमभावः अभव्यत्वपारिणामिक इत्यनेनाभिधानेन न संभवति। यथा मेरोरधोभागस्थितसुवर्णराशेरपि सुवर्णत्वं, अभव्यानामपि तथा परमस्वभावत्वं; वस्तुनिष्ठं, न व्यवहारयोग्यम्। सुदृशामत्यासन्नभव्यजीवानां सफलीभूतोऽयं
परमभावः सदा निरंजनत्वात; યત: सकलकर्मविषमविषद्रुमपृथुमूलनिर्मूलनसमर्थत्वात् निश्चयपरमालोचनाविकल्पसंभवालुंछनाभिधानम् अनेन परमपंचमभावेन अत्यासन्नभव्यजीवस्य સિધ્યતીતિ
ભવ્યને પારિણામિકભાવરૂપ સ્વભાવ હોવાને લીધે પરમ સ્વભાવ છે. તે પંચમ ભાવ ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવોને અગોચર છે. તેથી જ તે પંચમ ભાવ ઉદય, ઉદીરણા, ક્ષય, ક્ષયોપશમ એવા વિવિધ વિકારો વિનાનો છે. આ કારણથી આ એકને પરમાણું છે, બાકીના ચાર વિભાવોને અપરમપણું છે. સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ એવો આ પરમભાવ, ત્રિકાળ-નિરાવરણ નિજ કારણપરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષ તીવ્ર મિથ્યાત્વકર્મના ઉદયને લીધે કુદષ્ટિને, સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં, અવિદ્યમાન જ છે (કારણ કે મિથ્યા-દષ્ટિને તે પરમભાવના વિધમાનપણાની શ્રદ્ધા નથી). નિત્યનિગોદના જીવોને પણ શુદ્ધનિશ્ચયનયથી તે પરમભાવ ‘અભવ્યત્વપારિણામિક' એવા નામ સહિત નથી (પરંતુ શુદ્ધપણે જ છે). જેમ મેરુના અધોભાગમાં રહેલા સુવર્ણરાશિને પણ સુવર્ણપણું છે, તેમ અભવ્યોને પણ પરમસ્વભાવપણું છે; તે વસ્તુનિષ્ઠ છે, વ્યવહાર-યોગ્ય નથી (અર્થાત્ જેમ મેરુની નીચેના સુવર્ણરાશિનું સુવર્ણપણે સુવર્ણરાશિમાં રહેલું છે પણ તે વપરાશમાં ઉપયોગમાં આવતું નથી, તેમ અભવ્યોનું પરમસ્વભાવપણું આત્મવસ્તુમાં રહેલું છે પણ તે કામમાં આવતું નથી કારણ કે અભવ્ય જીવો પરમસ્વભાવનો આશ્રય કરવાને અયોગ્ય છે). સુદષ્ટિઓને-અતિ આસન્નભવ્ય જીવોને આ પરમભાવ સદા નિરંજનપણાને લીધે (અર્થાત્ સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે) સફળ થયો છે; જેથી, આ પરમ પંચમભાવ વડે અતિ-આસન્નભવ્ય જીવને નિશ્ચય-પરમ-આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું “આલુંછન” નામ સિદ્ધ થાય છે, કારણ કે તે પરમભાવ સમસ્ત કર્મરૂપી વિષમ-વિષવૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com