________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-આલોચના અધિકાર
[ ૨૦૭
वरणांतरायमोहनीयवेदनीयायुर्नामगोत्राभिधानानि हि द्रव्यकर्माणि। कर्मोपाधिनिरपेक्षसत्ताग्राहकशुद्धनिश्चयद्रव्यार्थिकनयापेक्षया हि एभिर्नोकर्मभिर्द्रव्यकर्मभिश्च निर्मुक्तम्। मतिज्ञानादयो विभावगुणा नरनारकादिव्यंजनपर्यायाश्चैव विभावपर्यायाः। सहभुवो गुणाः क्रमभाविनः पर्यायाश्च। एभिः समस्तैः व्यतिरिक्तं, स्वभावगुणपर्यायैः संयुक्तं, त्रिकालनिरावरणनिरंजनपरमात्मानं त्रिगुप्तिगुप्तपरमसमाधिना यः परमश्रमणो नित्यमनुष्ठानसमये वचनरचनाप्रपंचपराङ्मुख: सन् ध्यायति, तस्य भावश्रमणस्य सततं निश्चयालोचना भवतीति।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
(સા) "मोहविलासविजूंभितमिदमुदयत्कर्म सकलमालोच्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।।''
દર્શનાવરણ, અંતરાય, મોહનીય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર નામનાં દ્રવ્યકર્મો છે. *કર્મોપાધિનિરપેક્ષ સત્તાગ્રાહક શુદ્ધનિશ્ચયદ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમાત્મા આ નોકર્મો અને દ્રવ્યકર્મોથી રહિત છે. મતિજ્ઞાનાદિક તે વિભાવ-ગુણો છે અને નર-નારકાદિ વ્યંજનપર્યાયો તે જ વિભાવ૫ર્યાયો છે; ગુણો સહભાવી હોય છે અને પર્યાયો ક્રમભાવી હોય છે. પરમાત્મા આ બધાથી (-વિભાવગુણો અને વિભાવપર્યાયોથી) વ્યતિરિક્ત છે. ઉપરોક્ત નોકર્મો અને દ્રવ્યકર્મોથી રહિત તથા ઉપરોક્ત સમસ્ત વિભાવગુણપર્યાયોથી વ્યતિરિક્ત તેમ જ સ્વભાવગુણપર્યાયોથી સંયુક્ત, ત્રિકાળ-નિરાવરણ નિરંજન પરમાત્માને ત્રિગુતિગુણ (-ત્રણ ગુતિ વડે ગુણ એવી) પરમસમાધિ વડે જે પરમ શ્રમણ સદા અનુષ્ઠાનસમયે વચનરચનાના પ્રપંચથી (-વિસ્તારથી) પરામુખ વર્તતો થકો ધ્યાવે છે, તે ભાવશ્રમણને સતત નિશ્ચય-આલોચના છે.
એવી રીતે (આચાર્યદવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૨૨૭ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
“[ શ્લોકાર્થ:-] મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન (–ઉદયમાં આવતું) કર્મ તે સમસ્તને આલોચીને (–તે સર્વ કર્મની આલોચના કરીને), હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ
* શુદ્ધનિશ્ચયદ્રવ્યાર્થિકનય કર્મોપાધિની અપેક્ષા રહિત સત્તાને જ ગ્રહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com