SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર [૧૬૭ तथा चोक्तम् (અનુપુમ ) "निष्क्रिय करणातीतं ध्यानध्येयविवर्जितम्। अन्तर्मुखं तु यद्धयानं तच्छुक्लं योगिनो विदुः।।'' (વસંતતિના ) ध्यानावलीमपि च शुद्धनयो न वक्ति व्यक्तं सदाशिवमये परमात्मतत्त्वे। सास्तीत्युवाच सततं व्यवहारमार्गस्तत्त्वं जिनेन्द्र तदहो महदिन्द्रजालम।। ११९ ।। (વસંતતિતા ). सद्बोधमंडनमिदं परमात्मतत्त्वं मुक्तं विकल्पनिकरैरखिलैः समन्तात। नास्त्येष सर्वनयजातगतप्रपंचो ध्यानावली कथय सा कथमत्र जाता।। १२० ।। એવી રીતે અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે “[ શ્લોકાર્થ:-] જે ધ્યાન નિષ્ક્રિય છે, ઇંદ્રિયાતીત છે, ધ્યાનધ્યેયવિવર્જિત (અર્થાત્ ધ્યાન ને ધ્યેયના વિકલ્પો રહિત) છે અને અંતર્મુખ છે, તે ધ્યાનને યોગીઓ શુકલધ્યાન કહે છે.'' [ હવે આ ૮૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે:] [ શ્લોકાર્થ:-] પ્રગટપણે સદાશિવમય (નિરંતર કલ્યાણમય) એવા પરમાત્મતત્ત્વને વિષે *ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી. તે છે (અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં છે)' એમ (માત્ર) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હું જિનંદ્ર! આવું તે તત્ત્વ (તે નય દ્વારા કહેવું વસ્તુસ્વરૂપ), અહો ! મહા ઇંદ્રજાળ છે. ૧૧૯. સમ્યજ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પસમૂહોથી સર્વતઃ મુક્ત (સર્વ તરફથી રહિત) છે. (આમ) સર્વનયસમૂહ સંબંધી આ પ્રપંચ * ધ્યાનાવલી = ધ્યાનપંક્તિ; ધ્યાનપરંપરા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy