________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[૧૦૩
निश्चयनयबलेन हेया भवन्ति। कुतः? परस्वभावत्वात्, अत एव परद्रव्यं भवति। सकलविभावगुणपर्यायनिर्मुक्तं शुद्धान्तस्तत्त्वस्वरूपं स्वद्रव्यमुपादेयम्। अस्य खलु सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकस्य शुद्धान्तस्तत्त्वस्वरूपस्याधारः सहजपरमपारिणामिकभावलक्षणकारणसमयसार इति।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभि:
(શાર્દૂતવિહિત) "सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्। एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।।''
તથા દિ
દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનય) તેઓ હેય છે. શા કારણથી ? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ-અંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજજ્ઞાનસહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગ-સુખાત્મક શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજપરમપરિણામિકભાવલક્ષણ (-સહજ પરમ પરિણામિક ભાવ જેનું લક્ષણ છે. એવો) કારણસમયસાર છે.
એવી રીતે ( આચાર્યદેવ શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૮૫ માં શ્લોક દ્વારા) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ-] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત (–ઉદાર, ઉચ્ચ, ઉજ્વળ ) છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે-“હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.”
વળી (આ ૫૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com