________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
पुद्गलद्रव्यं मूर्तं मूर्तिविरहितानि भवन्ति शेषाणि । चैतन्यभावो जीवः चैतन्यगुणवर्जितानि शेषाणि ।। ३७ ।।
अजीवद्रव्यव्याख्यानोपसंहारोयम् ।
तेषु मूलपदार्थेषु पुद्गलस्य मूर्तत्वम्, इतरेषाममूर्तत्वम् । जीवस्य चेतनत्वम्, इतरेषामचेतनत्वम्। स्वजातीयविजातीयबन्धापेक्षया जीवपुद्गलयोरशुद्धत्वम्, धर्मादीनां चतुर्णां विशेषगुणापेक्षया शुद्धत्वमेवेति।
(માલિની)
इति ललितपदानामावलिर्भाति नित्यं वदनसरसिजाते यस्य भव्योत्तमस्य। सपदि समयसारस्तस्य हृत्पुण्डरीके लसति निशितबुद्धेः किं पुनश्चित्रमेतत् ।। ५३ ।।
[ ૭૩
અન્વયાર્થ:[ પુત્ıતદ્રવ્ય] પુદ્દગલદ્રવ્ય [મૂર્ત] મૂર્ત છે, [શેષાળિ] બાકીનાં દ્રવ્યો [ મૂર્તિવિહિતાનિ] મૂર્તત્વ રહિત [ભવન્તિ ] છે; [ નીવ: ] જીવ [ ચૈતન્યમાવ: ] ચૈતન્યભાવવાળો છે, [શેષાળિ] બાકીનાં દ્રવ્યો [ ચૈતન્યમુળવર્તિતાનિ] ચૈતન્યગુણ રહિત છે.
ટીકા:-આ, અજીવદ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે.
તે (પૂર્વોક્ત) મૂળ પદાર્થોમાં, પુદ્દગલ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે; જીવ ચેતન છે, બાકીના અચેતન છે; સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી જીવ તથા પુદ્દગલને (બંધઅવસ્થામાં ) અશુદ્ધપણું હોય છે, ધર્માદિચા૨ પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા) શુદ્ધપણું
જ છે.
[હવે આ અજીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ:-] એ રીતે લલિત પદોની પંક્તિ જે ભગોત્તમના વદનારવિંદમાં સદા શોભે છે, તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીઘ્ર સમયસાર (-શુદ્ધ આત્મા) પ્રકાશે છે. અને એમાં શું આશ્ચર્ય છે? ૫૩.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com