SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૬૦ : સમોકાર મંત્રનો પદક્રમ ણમોકારમંત્રના પદકમ ઉપર વિવેચન કરતાં ઘવલાકાર વીરસેનાચાર્ય લખે છેઃ શંકા- બધા પ્રકારના કર્મ લેપથી રહિત સિદ્ધ પરમેષ્ઠી હોવા છતાં અઘાતિકર્મોના લેપથી યુક્ત અરહંતોને પહેલા નમન કેમ કરવામાં આવ્યા છે? સમાધાનઃ- આ કોઇ દોષ નથી, કેમ કે બધાથી વધારે ગુણવાળા સિદ્ધોમાં શ્રદ્ધાની મુખ્યતાનું કારણ અરહંત પરમેષ્ઠી જ છે, એટલે કે અરહંત પરમેષ્ઠીના નિમિત્તથી જ અધિક ગુણવાળા સિદ્ધોમાં બધાથી વધારે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જો અરહંત પરમેષ્ઠી ન હોત તો આપણને બધાને આપ્ત, આગમ અને પદાર્થનું પરિજ્ઞાન ન થઈ શકત. પણ અરહંતોના પ્રતાપથી આપણને આ બોધની પ્રાપ્તિ થઇ છે. આ ઉપકારની અપેક્ષા એ પણ પહેલા અરહંતોને નમસ્કાર કરવામાં આવે છે. જો કોઇ કહે કે આ પ્રકારે પહેલાં અરહંતોને નમસ્કાર કરવા તે તો પક્ષપાત છે? આ વિષય ઉપર આચાર્ય જવાબ આપે છે કે આવો પક્ષપાત દોષોત્પાદક નથી. પણ શુભપક્ષમાં રહેવાથી એ કલ્યાણનું જ કારણ છે. આપ્તની શ્રદ્ધાથી જ આપ્ત, આગમ અને પદાર્થના વિષયમાં દઢ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, આ વાતને પ્રસિદ્ધ કરવા માટે પણ પહેલા અરહંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. કહ્યું પણ છે કે જેની પાસે ધર્મમાર્ગ પ્રાપ્ત કરીએ, એની પાસે વિનય યુક્ત થઇને પ્રવૃત્તિ કરવી જોઇએ.” (પટખંડાગમ જીવસ્થાનસત પ્રરૂપણા) આ જ સંદર્ભમાં બ્રહ્મદેવ સૂરી એ પણ લખ્યું છે : “અહીં અધ્યાત્મ શાસ્ત્રમાં ભલે પહેલા સિદ્ધ પરમેષ્ઠીને નમસ્કાર કરવા યોગ્ય છે તો પણ વ્યવહાર નયનો આશ્રય લઇને ઉપકાર સ્મરણ કરવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008270
Book TitleNamokar maha mantra
Original Sutra AuthorN/A
AuthorRatanchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1990
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size478 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy